Wednesday, August 31, 2016

સરકડીયા હનુમાન મંદિરે 1008 દિવસ સુધી ચાલીસા

DivyaBhaskar News Network | Aug 22, 2016, 10:00 AM IST
જૂનાગઢનાપાટવડ કોઠામાં આવેલ પાવનકારી સરકડીયા હનુમાન મંદિરમાં 1008 દિવસ સુધી અખંડ હનુમાનચાલીસાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હનુમાન ચાલીસના રક્ષાબંધનના પર્વે 51 દિવસ પુર્ણ થયા હતા. અખંડ હનુમાન ચાલીસાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઇ રહ્યા છે.

ગરવા ગિરનારી મધ્યમાં પરિક્રમા માર્ગ પર આવેલ સરકડીયા હનુમાન મંદીરમાં અને રામેશ્વર મહાદેવ મંદીરના સાનિધ્યમાં મંદીરના મહંત હરિદાસ મહારાજ અને ગુરૂ રાઘવદાસજી મહારાજના માર્ગદર્શનમાં ગત 28 જૂનથી સતત 1008 દિન સુધી અખંડ હનુમાન ચાલીસનું અાયોજન કરવામાં આવ્યુ છે. અા હનુમાન ચાલીસના રક્ષાબંધનના પર્વ નિમિતે 51 દિન પુર્ણ થયા હતા. મંદીર વર્ષોથી સેવાકીય અને ધાર્મિક પ્રવૃતિથી ધમધમતુ રહે છે.ગરવા ગિરનારની ગોદમાં પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવીક ભક્તો દર્શનાર્થે આવતા હોય છેે. અને અહી ચાલતા સેવા પ્રવૃતિનો લાભ લેતા હોય છે. 1008 દિવસ સુધી ચાલનાર અખ_ડ હનુમાના ચાલીસના પાઠમાં મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. તેમજ હજુ પણ વધુ લોકો લાભ લે અને મંદીરમાં ચાલતી પ્રવૃતિના સહભાગી થવા મંદીરમાં દાન આપે તેવી મંદીરના મહંતે અનુરોધ કર્યો છે. અખંડ ચાલીસાને સફળ બનાવવા સેવક હિરાભાઇ વાંદા,ધવલ પાઠક,નિતેશભાઇ વાઘમશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સરકડીયા હનુમાન મંદિરે 1008 દિવસ સુધી ચાલીસા
(News in Gujarati from Divya Bhaskar)

No comments: