Thursday, February 28, 2019

સમઢીયાળા-1 ગામે બંધારો નજીક ખુલ્લા વીજ વાયરો પક્ષીઓ માટે જોખમી બન્યા


Rajula News - open electric wires near monopoly 1 village buildings became dangerous for birds 035709

પક્ષીઓ મોતને ભેટ્યા છે : પીવીસી ઇન્સ્યુલેશનવાળા વાયરો નાખવા માંગ

DivyaBhaskar News Network | Updated - Feb 06, 2019, 03:57 AM
શિયાળાની ઋતુ દરમિયાન રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમા દર વર્ષે અનેક વિદેશી પક્ષીઓ અહી શિયાળો ગાળવા માટે આવે છે. ઓણસાલ પણ આ વિસ્તારમા મોટી સંખ્યામા પક્ષીઓ આવ્યા છે.

ત્યારે રાજુલાના સમઢીયાળા-1 ગામે બંધારો આવેલો છે. અહીથી વિજ કંપનીની લાઇન પણ પસાર થાય છે અહી ખુલ્લા વિજ વાયરોના કારણે અનેક પક્ષીઓ મોતને પણ ભેટે છે ત્યારે આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવા યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી છે.

યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા કલેકટરને કરાયેલી રજુઆતમા જણાવાયું છે કે રાજુલાના સમઢીયાળા-1 ગામે નિરમા પાણીનો બંધારો છે. આ બંધારામા હાલ વિદેશી પક્ષીઓ આવ્યા છે. અહીથી વિજ લાઇન પસાર થતી હોય અને ખુલ્લા વિજવાયરો પણ હોય પક્ષીઓ તાર પર બેસતા જ મોતને ભેટે છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ગત વર્ષે પણ લેખિતમા વિજ કંપનીને જાણ કરાઇ હતી.

રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે આ વિસ્તારમા વિજ કંપની દ્વારા પીવીસી ઇન્સ્યુલેશનવાળા વાયરો નાખવામા આવે તો પક્ષીઓ મોતને ભેટતા બચી શકે તેવી માંગ કરાઇ હતી. વિજ કંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી ન હોય પક્ષીઓ મોતના મુખમા ધકેલાઇ રહ્યાં છે. ત્યારે તાકિદે આ બાબતે કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરાઇ હતી. તસવીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-open-electric-wires-near-monopoly-1-village-buildings-became-dangerous-for-birds-035709-3829794-NOR.html

No comments: