Thursday, February 28, 2019

ગિરનાર જંગલથી માધવપુર ઘેડ સુધી સિંહની સફર

3000 ચો.કિ.માં 600 સિંહનો વસવાટ બરડા વિસ્તારમાં સિંહ સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 4 સિંહનો વસવાટ છે....

DivyaBhaskar News Network | Updated - Feb 13, 2019, 02:05 AM
3000 ચો.કિ.માં 600 સિંહનો વસવાટ

બરડા વિસ્તારમાં સિંહ સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 4 સિંહનો વસવાટ છે. તંત્રનું આયોજન આગામી દિવસોમાં અહીં સિંહનું રહેણાંક બને એવું છે.

ઘેડ વિસ્તાર

માધવપુર

વધુ એક સિંહ કુંડા વિસ્તારમાં

માધવપુરનાં કુંડા વિસ્તારમાં એક સિંહ હોવાનું નજરે પડ્યું છે. જોકે હાલ વનવિભાગની ટીમ સિંહને ખસેડવા માટે તૈનાત થઇ છે.

માધવપુરનાં કુંડા વિસ્તારમાં એક સિંહ હોવાનું નજરે પડ્યું છે. જોકે હાલ વનવિભાગની ટીમ સિંહને ખસેડવા માટે તૈનાત થઇ છે.

ઓસો આશ્રમ

ઘેડ વિસ્તાર

મટીયાણા

આ દિવસોમાં ખુંભડી, સેંદરડા વિસ્તારમાં સિંહ દેખાયા હતા. અને ત્યાં માધવપુર ઘેડ વિસ્તારમાં પ્રવેશ કર્યાનું લોકો કહી રહ્યા છે.

શીલ

લોએજ

પીપલાણા

વસ્તી ગણતરી વખતે 523 સિંહ નોંધાયા હતા. બાદ અમરેલી જિલ્લામાં ટપોટપ સિંહનાં મોત થવા લાગ્યા હતા. ત્યારે 23થી વધુ સિંહ મોતને ભેટ્યા હતા. આ ઘટના દરમિયાન વનવિભાગ દ્વારા સિંહોનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે 3 હજાર ચોરસ કિમી વિસ્તારમાં વસ્તી ગણતરી કરતા 600 સિંહ જોવા મળ્યા હતા. જે વસ્તી ગણતરી કરતા 77 સિંહ વધુ હતા.

માંગરોળ , ચોરવાડ દરિયાઇ પટ્ટીમાં પાંચથી છ સિંહ અવાર- નવાર જોવા મળ્યા છે. ખાસ કરીને બારા વિસ્તારમાં આ સિંહ નજરે પડે છે. આ સિંહમાંથી કોઇ એક સિંહ છુટ્ટો પડી માધવપુર ગામમાં પહોંચ્યો હોવાનું વનવિભાગ માની રહ્યું છે. જોકે માંગરોળ ચોરવાડ માં બાબરા વિડી વિસ્તારમાંથી સિંહ આવ્યાનું પણ વન વિભાગ માની રહ્યું છે.

રાહીજ

માણેકવાડા

માંગરોળ

શાપુર

બે માસ પહેલા માણેકવાડા સીમ વિસ્તારમાં પ્રથમ વખત સિંહ જોવા મળ્યા હતા. આ સિંહ શાપુર તરફથી આવ્યાનું વન વિભાગે જે-તે સમયે અનુમાન કર્યું હતું.

જૂનાગઢ, ગિરનાર પર્વત
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lion39s-journey-from-girnar-jungle-to-madhavpur-ghed-020515-3885511-NOR.html

No comments: