Thursday, February 28, 2019

જૈનોને ગિરનારની પરિક્રમા માટે 1 માસમાં બીજી વખત મંજૂરી આપી

3 અખાડાને સમર્પિત પરિક્રમાને મંજુરી ન આપનાર વનતંત્રએ 4 શંકરાચાર્ય, રાષ્ટ્રપતિ, PM, CM,વનમંત્રીને કરાઇ રજૂઆત ...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2019, 03:01 AM
13 અખાડાને સમર્પિત દર મહિનાની સુદ અગિયારસે કરવાની થતી ગિરનાર પરિક્રમાને વનતંત્રએ અનેક રજૂઆત છતાં મંજૂરી આપી નથી. બીજી તરફ જૈનોને એક જ મહિનામાં બીજી વખત ગિરનારની પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવી રીતે નિર્ણય કરી વનવિભાગે હિન્દુ સમાજની બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ અખંડ ભારત સંઘના ભાવેશભાઇ વેકરીયાએ કર્યો છે. તેમણે આ મામલે 4 શંકરાચાર્યો,રાષ્ટ્રપતિ, પીએમ,સીએમ, વનમંત્રી, 13 અખાડાના મંત્રી- અધ્યક્ષો વગેરેને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે 24 ફેબ્રુઆરીએ આર્ય રક્ષિત જૈન ધર્મ રક્ષક સંઘને ગિરનારની પરિક્રમા કરવા મંજૂરી આપવામાં આવી છે. એક જ મહિનામાં જૈન સમાજને અપાયેલી આ બીજી મંજૂરી છે. આ મંજૂરી સામે વાંધો નથી પરંતુ 13 અખાડાને સમર્પિત ગિરનાર પરિક્રમાને મંજૂરી અપવામાં આવતી નથી. વનતંત્રની આ નિતી હિન્દુ સમાજમાં ભાગલા પાડવાની મેલી મુરાદ છતી કરે છે.ત્યારે ધાર્મિક સ્થાનો પરના નિયંત્રણ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-jain-allowed-for-second-time-in-a-month-for-girnar-parikrama-030107-3962193-NOR.html

No comments: