Thursday, February 28, 2019

સોમનાથ-કોડીનાર નવી રેલ્વે લાઇનથી 44 સાવજ અને 111 દીપડા ઉપર ખતરો

Divyabhaskar.com | Updated - Feb 09, 2019, 12:07 PM


પ્રોજેક્ટને રદ્દ કરાવવા ભાજપના આગેવાનો દિલ્હી ગયા હતાં

વેરાવળ :સોમનાથ-કોડીનાર વચ્ચે ખાસ માલ પરિવહન માટે નવી બ્રોડગેજ રેલ્વે લાઈનના પ્રોજેક્ટ સંદર્ભે જમીન સંપાદન કરવા પશ્ચિમ રેલ્વે નિર્માણ સંગઠને 19 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત જિલ્લાભરમાં 44 સાવજ અને 111 દીપડાઓ વસવાટ કરે છે. પરિણામે જો અહીં નવી રેલ્વે લાઇન બને તો પીપાવાવ પોર્ટની ટ્રેનો જે રીતે સિંહોનો અવારનવાર ભોગ લે છે એજ સ્થિતી અહીં પણ ઉભી થાય. 

ખેડૂતો વિરોધ કરવા માટે આગળ આવ્યાં

1.હવે સમગ્ર મામલે ખેડૂતો વિરોધ કરવા આગળ આવ્યા છે અને ખુદ શાસક ભાજપનાં આગેવાનો પણ પ્રોજેક્ટને રદ કરાવવા દિલ્હી ગયા હતા. દરમિયાન અહીંની પર્યાવરણ સુરક્ષા અને જનકલ્યાણ સમિતીનાં પ્રમુખ ભગવાન સોલંકીએ પણ અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને પર્યાવરણ મંત્રાલય દિલ્હીને રજૂઆત કરી પ્રોજેક્ટ માટે પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામું રદ્દ કરવા માંગ કરી છે.
અમારા સુધી મામલો પહોંચ્યો નથી: વનતંત્ર
2.આ અંગે વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમારા સુધી તો વેરાવળ-કોડીનાર વચ્ચે કોઇ રેલ્વે પ્રોજેક્ટ આકાર લે છે એવી પરમીશન જ કોઇએ માંગી નથી. આથી રેલ્વે લાઇન ક્યાંથી પસાર થશે અને સિંહોનો કોરિડોર ત્યાં છે કે નહીં એ પણ રેલ્વે લાઇનનું એલાઇન્મેન્ટ જાણ્યા વિના ન કહી શકાય.- સીસીએફ વસાવડા, જૂનાગઢ
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-44-lion-life-on-risk-from-somnath-kodinar-new-railway-treck-gujarati-news-6020574.html

No comments: