Thursday, February 28, 2019

શિવરાત્રી પહેલાં જૂનાગઢમાં સિંહ દર્શન કાર્યક્રમ શરૂ કરાવો

CMના હકારાત્મક વલણથી સિંહ દર્શનની ઉજળી તક

DivyaBhaskar News Network | Updated - Feb 10, 2019, 02:50 AM
જૂનાગઢ ખાતે લગ્ન પ્રસંગે નવદંપત્તિને આશિર્વાદ આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરાવવા રજૂઆત કરાઇ છે. મેળો શરૂ થાય તે પહેલા સિંહ દર્શન શરૂ કરાવવા ભાજપ અગ્રણીઓએ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે શૈલેષભાઇ દવેએ જણાવ્યું કે જૂનાગઢ ખાતે પ્રદિપભાઇ ખીમાણીના પુત્રના યોજાયેલ લગ્ન પ્રસંગે CM રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિને આશિર્વાદ આપ્યા હતા. હેલીપેડ ખાતે ભાજપ શહેર પ્રમુખ શશીકાન્ત ભિમાણી, મેેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને શૈલેષભાઇ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મહા શિવરાત્રીનો મેળો શરૂ થાય તે પહેલા જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરાવવા રજૂઆત કરી હતી. ખાસ કરીને શિવરાત્રી પહેલા સિંહ દર્શન શરૂ થાય તો મહાશિવરાત્રી દરમિયાન આવતા લાખ્ખો ભાવિકો સિંહ દર્શનનો લાભ લઇ શકશે અને જૂનાગઢને આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદો થશે. દરમીયાન સીએમ રૂપાણીએ આ મામલે હકારાત્મક વલણ અપનાવી જિલ્લા કલેકટરને ઘટતું કરવા જણાવ્યું હતું. સીએમના હકારાત્મક વલણથી સિંહ દર્શનની તક ઉજળી બની છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-launch-a-lion-darshan-program-in-junagadh-before-shivratri-025015-3867056-NOR.html

No comments: