Friday, November 23, 2012

ક્રાંકચ અને આંબાગામમાં સાવજોએ કર્યું બે પશુનું મારણ.


Bhaskar News, Liliya | Nov 23, 2012, 00:18AM IST
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે શેંત્રુજી નદીના પટમાં રેડીયોકોલર સિંહણે આજે સાંજના સુમારે એક ગાયનો શિકાર કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત આંબા ગામની સીમમાં ચાર સાવજોએ એક વાછરડીનો શિકાર કરી મોતને ઘાટ ઉતારી હતી.

ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ પંથકમાં અવારનવાર સાવજો ગામમાં આવી ચડે છે. અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. આજે સાંજના સુમારે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે શેત્રુજી નદીના પટમાં રેડીયોકોલર સિંહણ અને બે બચ્ચાએ એક ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.

આવી જ રીતે સાંજના સુમારે આંબા ગામની સીમમાં પણ ચાર સાવજો આવી ચડયા હતા. અને એક વાછરડીનુ મારણ કર્યું હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગના ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, હિંગુભાઇ, કે.જી.ગોહિલ, પ્રફુલભાઇ મહેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

No comments: