Saturday, November 3, 2012

એક સાથે ૧૧ સાવજોએ કર્યું એક ગાયનું મારણ.


Bhaskar News, Dhari | Oct 16, 2012, 23:48PM IST
- આખીરાત વનરાજોએ ગામમાં લટારો મારી સવારે વિદાય લીધી હતી

ગીરકાંઠાના ધારી તાલુકામાં ડાલામથ્થા સાવજો રિતસર આતંક મચાવી રહ્યાં છે. જંગલ બહાર વસતા આ સાવજો આમ તો આખો દિવસ આરામ કરતા પડ્યા રહે છે. પરંતુ ભુખ લાગે ત્યારે કોઇપણ ગામમાં ઘુસીને પણ પશુઓનું મારણ કરતા ખચકાતા નથી. ગઇકાલે ધારીના હિરાવા ગામે મધરાત્રે એક સાથે ૧૧ સાવજોનું ટોળુ બજારમાં ઘુસી આવ્યુ હતુ અને એક ગાયનું મારણ કર્યું હતું. સવારના છ વાગ્યા સુધી આ સાવજો ગામમા જ રહ્યાં હતા.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો મહદઅંશે સીમમાં જ પડ્યા પાથર્યા રહે છે. પરંતુ તેનો મતલબ એવો જરા પણ નથી કે આ સાવજો પોતાની ખોરાક અને પાણીની જરૂરિયાત પણ સીમમાં જ પુરી કરે છે. અવારનવાર આ સાવજો પાણી અને શિકારની શોધ માટે ગામડાઓમાં ઘુસી જાય છે. ગામડાઓમાં બજારમાં જ કે માલધારીઓના વાડા કે જોકમાં ઘુસી પશુઓનું મારણ કરે છે.

આવી જ એક ઘટના ગઇરાત્રે ધારી તાલુકાના હિરાવા ગામે બની હતી. એક સાથે ૧૧ સાવજોનું ટોળુ મધરાત્રે ગામમાં ઘુસી આવ્યું હતુ. એક સાથે ૧૧ સાવજો ગામમાં ઘુસી આવતા ગામલોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ સાવજોએ ગામમાં એક ગાયનું મારણ કરી પોતાની ભુખ સંતોષી હતી. રાત્રીના ડાલામથ્થા સાવજોએ ત્રાડો નાખતા લોકો થરથરી ઉઠયા હતા. આ સાવજોએ આખી રાત ગામની બજારમાં આમથી તેમ આંટાફેરા માર્યા હતા. સવારે છ વાગ્યે આ સાવજોએ ગામમાંથી વિદાય લીધી હતી.

No comments: