Saturday, November 3, 2012

અભરામપરામાં વાડીમાં ચડી આવ્યો મહાકાય અજગર.


Bhaskar News, Sawarkundla | Oct 31, 2012, 23:30PM IST
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે વાડીમાં પાછલા કેટલાક દિવસોથી એક મહાકાય અજગર આંટાફેરા મારતો હોય ખેડુતોમાં ભય ફેલાયો હતો. આજે સાંજના સુમારે ફરી આ અજગરે દેખા દેતા સ્થાનિક વનવિભાગના બીટગાર્ડ તેમજ પ્રકૃતપ્રેમીઓને જાણ કરવામાં આવતા આ અજગરને પકડી લઇ સલામત રીતે જંગલ વિસ્તારમાં મુકત કરી દેવાયો હતો.

સાવરકુંડલા પંથકના ગામોમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી અજગર ચડી આવવાની ઘટના વધી પડી છે. સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે આવેલ જયસુખભાઇ નસીતની વાડીમાં આજે સાંજના સુમારે એક મહાકાય અજગરે દેખાદેતા ખેડુતોમાં ભય ફેલાયો હતો. જયસુખભાઇએ વનવિભાગને જાણ કરતા બીટગાર્ડ તેમજ પ્રકૃતપિ્રેમી નીલેશભાઇ મહેતા, ચિરાગભાઇ વગેરે અહી દોડી આવ્યા હતા.

૧૨ ફુટ લાંબો અને ૩૦ કિલો વજન ધરાવતા આ મહાકાય અજગરને પકડી લઇ મિતીયાળા અભ્યારણ્યમાં સલામત રીતે મુકત કરવામાં આવ્યો હતો. આ અજગર પાછલા કેટલાક સમયથી વાડીમાં આંટાફેરા મારતો હોય ખેડુતોમાં ભય ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારમાંથી અવારનવાર વાડી ખેતરોમાં અજગર આવી ચડે છે.

No comments: