Wednesday, January 29, 2014

સિંહણે મચાવ્યો આંતક, 13 ફૂટની દિવાલ કૂદી ભેંસને ફાડી ખાધી.

Pics: સિંહણે મચાવ્યો આંતક, 13 ફૂટની દિવાલ કૂદી ભેંસને ફાડી ખાધી

Bhaskar News, Junagadh | Jan 25, 2014, 08:52AM IST
- સાડા તેર ફૂટની દિવાલ કૂદી સિંહણ ગૌશાળામાં ત્રાટકી
- ’ નંદબાવા ગૌશાળામાં પાંચ વાછરડીનું  મારણ કર્યુ : ભયથી ગાયો ફફડી ઉઠી
સંજયનગરમાં ભેંસ અને પાડી ઉપર પાંચ સિંહનાં હુમલામાં ભેંસનુ મોત
- જૂનાગઢમાં સિંહણે મચાવ્યો આંતક, તેર ફૂટ ઊંચી દિવાલ કૂદી કર્યો ભેંસોનો શિકાર

જૂનાગઢનાં બિલખા રોડ પર વન્ય પ્રાણીનાં આંટાફેરા વધી ગયા હોઇ લોકોમાં ભય ફેલાઇ ગયો છે. ગતરાત્રીનાં પ્લાસવા નજીક આવેલી નંદબાવા ગૌશાળામાં સિંહણ આવી ચઢી હતી. અને પાંચ વાછરડીનું મારણ કર્યુ હતુ. જ્યારે ભયભીત થયેલા એક બળદનું પણ મોત નીપજ્યું હતું. તેમજ શુક્રવારની રાત્રીનાં સંજયનગરમાં પાંચ સિંહે એક ભેંસ અને પાડી ઉપર હુમલો કરી ઘાયલ કર્યા હતા. જેમાં ભેંસનું મોત નિપજ્યું હતું.

ગિરનાર જંગલને અડીને આવેલા વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા વધી રહ્યા છે. તેમાં પણ બિલખા રોડ ઉપર આવેલા પાદરીયા, પ્લાસવા સહિ‌તનાં ગામોમાં સિંહ અવારનવાર આવી જતા હોય છે. અને ગાય, ભેંસનું મારણ કરી જતા હોય છે. વારંવાર વન્ય પ્રાણી આવતા હોઇ લોકોમાં ભયનો ફેલાયો છે. ભયનાં વાતાવરણ વચ્ચે ગુરૂવારની રાત્રીનાં પ્લાસવા નજીક આવેલી નંદબાવા ગૌશાળામાં એક સિંહણ ત્રાટકી હતી.

જેમાં અલગ અલગ છાપરામાં બાંધેલી પાંચ વાછરડીનું મારણ કર્યું હતું. ગૌશાળામાં સિંહણે હુમલો કરતાં અન્ય પશુઓમાં અફડાતફડી બોલી ગઇ હતી. જેમાં ભયભીત બનેલા એક બળદનું પણ મોત થયુ હતું.
 આ અંગે વન વિભાગને જાણ કરતા આરએફઓ મારૂ તથા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રોજકામની કાર્યવાહી કરી હતી. આ બનાવને ૨૪ કલાક ન થયા ત્યાં ગ્રોફેડ નજીક આવેલા સંજયનગરમાં પાંચ સિંહ આવી ગયા હતા.

અહીં રાજુભાઇ રાડાની ભેંસ અને પાડી ઉપર હુમલો કર્યો હતો. આ અંગે રાજુભાઇએ જણાવ્યું હતું કે, સાંજના સમયે પાંચ સિંહે હુમલો કરી ભેંસ અને પાડીને ઘાયલ કર્યા હતા. જેમાં ભેંસનું મોત નિપજ્યું છે. આ વિસ્તારમાં દરરોજ સિંહ આવે છે. વન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ પશુ ડોકટર પણ સમયસર આવતા નથી.

No comments: