Friday, January 24, 2014

ધારીમાં તરફડીયા મારતા ૧૮ પક્ષીઓના શંકાસ્પદ મોત

ધારીમાં તરફડીયા મારતા ૧૮ પક્ષીઓના શંકાસ્પદ મોત

Posted On January 10, 04:47 PM
નવી વસાહત નજીક પાણીના ખાડા પાસે તરફડીયા મારતા હતા : પક્ષીપ્રેમીઓ દોડી ગયા
 
ધારીમાં હરિકૃષ્ણનગર પાસે રેલવે ટ્રેક નજીક એક પાણીના ખાડામા ૧૮ જેટલા પક્ષીઓ જેમાં તેર ટીટોડી અને પાંચ કબુતરો તરફડીયા મારી રહ્યાં હોય અહીથી પસાર થતા રાહદારીઓને આ વાતની જાણ થતા તેઓએ હોર્નબીલ નેચર કલબના સભ્યોને જાણ કરતા કલબના પ્રમુખ અજીતભાઇ ભટ્ટ, નરેન્દ્ર જોટંગીયા સહિ‌ત અહી દોડી આવ્યા હતા.
 
આ પક્ષીઓના મોત ઠંડીથી અથવા ઝેરી ચારો ખાવાથી થયા હોવાનુ પ્રાથમિક અનુમાન છે. અહી વેટરનરી ડોકટર ન હોવાથી હાલ આ પક્ષીઓના મોતનુ સાચુ કારણ જાણવા મળી શકયુ નથી.

No comments: