Wednesday, January 29, 2014

ગુજરાતનું આ સ્થળ બનશે સાવજોનું નવું ઘર, સિંહો બનશે સલામત.


ગુજરાતનું આ સ્થળ બનશે સાવજોનું નવું ઘર, સિંહો બનશે સલામત
Arjun Dangar, Junagadh | Jan 25, 2014, 02:46AM IST

- બરડો બનશે સાવજોનું બીજુ ઘર
- બરડા વન્યપ્રાણી અભ્યારણ્ય સિંહોના વૈકલ્પિક રહેઠાણ માટે અનુકુળ હોવાનો વન અધિકારીનો અભ્યાસ

ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટીક સાવજો બહુઝડપથી મુવમેન્ટ કરી રહ્યા છે. ધીમેધીમે માનવવસાહત તરફ પણ આવી રહ્યા છે. બીજી તરફ સિંહોને મધ્યપ્રદેશ લઇ જવાનો મામલો પણ દેશભરમાં ચર્ચામાં છે. ત્યારે સાવજોનું બીજુ નવુ ઘર સોરઠનો હિ‌સ્સો ગણાતા પોરબંદર જિલ્લાના બરડા વન્ય પ્રાણી અભ્યારણ્ય બની શકે એમ છે. તેમ અભ્યાસના આધારે સાસણનાં નાયબ વનસંરક્ષક ડો.સંદિપ કુમારે જણાવ્યું છે. સિંહોને અહી વસવાટ માટેની તમામ અનુકુળતાઓ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે એક અભ્યાસ લેખમાં જણાવ્યું છે.સાસણનાં નાયબ વનસંરક્ષક ડો.સંદિપકુમારે બરડા પંથક અભ્યારણ્ય વિશે કરેલા અભ્યાસ બાદ બરડા વન્યપ્રાણી અભ્યારણ્યને સાવજોના વૈકલ્પિક રહેઠાણ માટે પણ યોગ્ય ગણાવ્યું છે. તેઓ એ કહ્યુ કે, પોરબંદરથી ૧પ કિમી ઉત્તર પૂર્વમાં આવેલા બરડાની વિવિધ ખાસીયતો અને સિંહોના રહેઠાણ માટે અનુકુળ છે. ૧૮૮૦ સુધી સિંહો બરડાના જંગલમાં વિહરતા હતા.

જોકે હાલ અહીં સિંહો નથી. પરંતુ ૨૧ દિપડાનો બરડા અભ્યારણ્યમાં વસવાટ દેખશે. ભૂતકાળમાં ત્યાં ચિતળ અને સાબર જેવા સાવજોનો ખોરાક ગણાતા પ્રાણીઓ પણ હતા. છેલ્લા એક દસકામાં જ તે અહીંથી દૂર થયા છે. તેને ફરીથી વસાવવા ૨૦૦૨માં અહીં ચિત્તળનું સંવર્ધન કેન્દ્ર અને ૨૦૦૭-૦૮માં સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. બરડા ડુંગરમાં અન્ય પ્રાણીઓની ૩૬ જાતો છે. ડો.સંદિપકુમારે વધુમાં જણાવ્યું હતુ કે, બરડાનો ભૂભાગ એશિયાટીક સિંહોના સંવર્ધન માટે મહત્વનો હોઇ વનવિભાગે આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરો, ઇકો ડેવલપમેન્ટ કામો કર્યા છે. સૌરાષ્ટ્રમાં ગીર-ગિરનાર અને બરડો જ હરિયાળા ફેફસાની ગરજ સારે છે. એશિયાટીક સિંહો ૨૦૦૩ બાદ બરડા તરફ આવતા થયા છે. અને ધીમે ધીમે આ તરફ આવશે.

અગાઉ સિંહો માટે જ અભ્યારણ્યનો દરજ્જો અપાયો’તો
બરડાના જંગલને વર્ષો પહેલા તે સિંહોનું વૈકલ્પિક રહેઠાણ બની શકે એમ હોવાથી જ અભ્યારણ્ય ઘોષિત કરાયુ હતું. તજજ્ઞો અને પર્યાવરણ વિદોએ પણ બરડાને એશિયાટીક સિંહોનું વૈકલ્પિક રેહઠાણ માન્યું છે.

બરડો ખોરાક-પાણી માટે મહત્વનો
બરડો તેની આસપાસમાં વસવાટ કરતી વસ્તી માટે અગત્યના પાણીનાં સ્ત્રોત અને ખોરાક માટે મહત્વનો છે. ચોમાસાથી લઇને છેક શિયાળા સુધી અહીં વન્ય પ્રાણીઓને પાણી અને ઘાસ મળી રહે છે. પરંતુ ઉનાળા દરમિયાન લીલા ઘાસની અછત વર્તાય છે. વનવિભાગ અહીં સતતપણે માટી અને ભેજના સંવર્ધન માટે પ્રયત્નશીલ રહ્યુ હોવાનું પણ સંદિપકુમારે જણાવ્યું હતું.

બરડો ૨૧પ ચો.કિમીમાં ફેલાયેલા
બરડો ડુંગર ૨૧પ ચોરસ કિમીમાં ફેલાયેલો છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિમી વિસ્તારને અભ્યારણ્યા જાહેર કરાયું છે. બરડાની આસપાસ વસેલા ગામોમાં મોડપર, આશીયાપાટ, બિલેશ્વર, ખંભાળા, બોરડી, રાણાવાવ, આદિત્યાણા, બખરલા, કાટવાણા, વીંઝરણા, ગોઢાણા, બાવળવાવ, રાણપુર અને પછાતરનો સમાવેશ થાય છે.

No comments: