Monday, August 4, 2014

છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ.

Bhaskar News, Amreli | Jul 30, 2014, 00:01AM IST
છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ
( તસવીર - ૧૦૮ એમ્બ્યુલન્સ વાન )

છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ
સર્પદંશના દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બની જીવનદાયીની


અમરેલી: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન સરિસૃપો જમીનમાંથી બહાર નીકળવાની ઘટના વધી રહી છે. ખાસ કરીને અહીના રાજુલા જાફરાબાદ પંથકમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. સર્પદંશને કારણે ઘણી વખત તાત્કાલિક સારવાર ન મળવાથી અનેક વ્યકિતઓ મોતને ભેટી હોવાના બનાવો બન્યાં છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ચારેક વર્ષ દરમિયાન ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા સર્પદંશના ૨૮૩ દર્દીઓને સારવાર આપવામા આવી હતી.સર્પદંશ એક મૃત્યુ ઉપજાવનારી કે મૃત્યુનો ડર પેદા કરનારી ભયંકર કટોકટીની પરિસ્થિતિ છે. ભારતમા દર વર્ષે ૭પ૦૦ મૃત્યુ સર્પદંશથી થતા હોવાનુ મનાય રહ્યું છે.

દર્દીઓ અલગ અલગ પરિસ્થિતિમાં હોસ્પિટલ પહોંચતા હોય છે. જેવા કે દંશની શંકા, ખરેખર દંશ થયો, દંશ સાથે સોજો આવવો, દંશ સાથે સોજો અને રકતસ્ત્રાવ થવા અથવા આંખના પોપચા પડવા કે લકવાની અસર થવી. સર્પદંશની સારવાર પણ વખતો વખત શોધખોળની સાથે સાથે બદલાતી રહી છે. અમરેલી જિલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા વર્ષ ૨૦૧૧માં ૧૧૭ દર્દીઓને સારવાર આપવામા આવી હતી. વર્ષ ૨૦૧૨માં ૮૩ દર્દીઓ, વર્ષ ૨૦૧૩માં ૬પ દર્દીઓ અને વર્ષ ૨૦૧૪માં જુલાઇ સુધીમાં ૧૮ સર્પદંશના દર્દીઓને સારવાર આપવામા આવી છે. આમ છેલ્લા ચારેક વર્ષમાં ૨૮૩ સર્પદંશના દર્દીઓ સામે આવ્યાં હતા. વરસાદની શરૂઆત થાય ત્યારે સર્પોના આશ્રય સ્થાને પાણી ભરાઇ જાય એટલે સર્પો સમુહમા બહાર નીકળતા જોવા મળે છે.

સર્પદંશ થાય ત્યારે કેવી કાળજી લેવી ?
સર્પદંશ થાય ત્યારે તુરત ૧૦૮ને જાણ કરો. દર્દીને આશ્વાસન આપો, દર્દીને ચતા સુવડાવી રાખો અને હાથ પગ સ્થિર રખાવો, લોહીનુ પરિભ્રમણ બંધ ન થાય તે જોવુ, સર્પદંશ થયેલ હોય તેને હલન ચલન ન કરવા દેશો, દંશવાળા ભાગને હ્દયના સ્થાનથી નીચે રાખો.

No comments: