divyabhaskar.com | Aug 23, 2014, 12:14PM IST

(અભ્યારણ્ય તરીકે ઓળખાતા હિંગોળગઢ ગામે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
> દરબાર વાજસુર ખાચરે હિંગોળગઢની સ્થાપના કરી હતી
> અભ્યારણ તરીકે ઓળખાતા હિંગોળ ગઢમાં દેશ વિદેશના પક્ષીઓ અને જુદી જુદી પ્રજાતીના સાપ જોવા મળે છે
રાજકોટઃ રાજાશાહીમાં રાજા દુશ્મનોથી રક્ષણ મેળવવા પોતાના મહેલને ગઢની માફક બનાવતા હતા. આવો જ એક ગઢ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા હિંગોળગઢમાં બેનમૂન છે. હિંગોળગઢને સરકારે અભ્યારણમાં સમાવેશ કર્યો છે. આ સમગ્ર વિસ્તાર જંગલમાં આવેલો છે ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. ગઢને તે વખતના રાજવીએ ઉચા ડુંગરની ટેકરી ઉપર બનાવ્યો છે.
ગઢની સામેની બાજુ નીચે હિંગોળગઢનું પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે. આ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર વિશાળ વિસ્તારમા ફેલાયેલું છે. અહી દૂર દૂરથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા આવે છે. કેન્દ્રમાં જુદી જુદી પ્રજાતીના સાપ રાખવામાં આવે છે. તેમજ એક અજગર પણ છે. આજુબાજના વિસ્તારમાં પહાડી જંગલ વિસ્તાર હોવાથી રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અંદર રાત્રે રહી શકાય તે માટે ટેન્કો બનાવામાં આવી છે.

(ગઢની તસવીર)
આપણાં ભારતમાં ઘણાં મોટાં ગઢો આવેલા છે. તેમાં સૌરાષ્ટ્રની માથે
સત્તરમી સદીમાં જ્યારે મુસ્લિમ રાજાઓની સેના ચડી આવતી ત્યારે લોકોના
જાન-માલનું રક્ષણ કરવા કેટલાંક રાજવીઓએ સંરક્ષણની દ્રષ્ટિએ ગઢ બંધાવેલા
હતા. તેમાં જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે તેના સમયે 'હિંગોળગઢ'ની રચના
કરેલી તે ખરેખર જોવા લાયક છે. રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ
ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એ જ
હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮
કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.

(પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે રાજીવ વાજસૂરે જસદણ
અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો
ગઢ બાંધવાનું નક્કી કર્યું. પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ
બાંધવાની વાજસૂર ખાચરે શરૂઆત કરેલી ત્યાં જામનગરના સેનાધપિતી મેરૂ ખવાસે
જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર
વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.

(અભ્યારણ્યમાં હરણની તસવીર)
જસદણના દરબાર આલાખાચર બીજા ચોમાસું બેસતાં જ અહીં ચાર માસ મુકામ કરતા અને દશેરાએ ધામધૂમથી માતા હિંગળાજની પૂજા કરતાં આ ગઢ બાંધવામાં આવ્યો ત્યારે ખુબ જ ગાઢ જંગલ હતું. મુખ્યત્વે ગોરડ, બાવળ, ગુગળ, કરોળી જેવા ઝાડ અને ટૂંકા ઘાસના વીડથી આખો વિસ્તાર છવાયેલો રહેતો. પરંતુ રેસીડન્સીના વખતમાં દુર્લક્ષને કારણે ઘણાં બધાં વૃક્ષો કપાઇ ગયા. પચીસ વર્ષ પહેલાં આ જંગલમાં પંચાળના પંથકના દીપડા, વરૃ, સુવ્વર, ચિંકારા, નીલગાય વગેરે સારી સંખ્યામાં પ્રાણીઓ હતા. મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર પાખો થઇ જવાથી પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે.

(અભ્યારણ્યમાં સાપની જોવા મળતી દુર્લભ પ્રજાતિ)
હિંગોળગઢની તળેટીમાં હિંગોળ ગામ અને એક મંદિર વસાવવામાં આવ્યું છે. રબારી, કોળીઓની વસતિ ખાસ રહે છે. હવે તો હિંગોળગઢની વીડી ઘેંટાઉછેર કેન્દ્ર તરીકે જાણીતી બની છે. મેરીના ઘેટાં અહીં લવાયાં છે. હિંગોળગઢમાં રાત્રિ રોકાણ કરવું એ અદભૂત અનુભવ લેવા જેવું છે. પ્રકૃતિના તમામ રંગોથી સભર હિંગોળગઢ એક અદભૂત જગ્યા છે
No comments:
Post a Comment