Sunday, August 31, 2014

અશોક શિલાલેખની સ્થિતી યથાવત, બીજી બે દિવાલો પડવાની ભિતી.

DivyaBhaskar News Network | Aug 29, 2014, 06:40AM ISTઅશોક શિલાલેખની સ્થિતી યથાવત, બીજી બે દિવાલો પડવાની ભિતી
જૂનાગઢનાં ભવનાથ રોડ પર આવેલા અશોક શિલાલેખનાં ભવનની દિવાલ અને છત ધરાશાયી થઇ ગયા હતા. આ ઘટનાને એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા સ્થિતી યથાવત છે. એમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજની તારીખે પણ અશોક શિલાલેખ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. પુરાતત્ત્વ વિભાગની બેદરકારીને લીધે ધરાશાયી થયા બાદ તંત્રની નિષ્કાળજી હજુ પણ જોવા મળી રહી છે. તેમજ હાલ જે બે દિવાલો ઉભી છે એ પણ પડું પડું થઇ રહી છે. ત્યારે આ દિવાલ પણ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભવનાથમાં તિર્થ ોત્રમાં વર્ષે દહાડે લાખો લોકો ફરવા આવે છે. પ્રવાસીઓ અહીંનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ત્યારે ભવનાથ જવાનાં માર્ગ પર ૧૧૩ વર્ષ જૂનું અશોક શિલાલેખનું ભવન આવેલું છે. જે એક માસ પહેલાં ભવન ધરાશાયી થઇ ગયું હતું. એક માસ જેટલો સમય વિતી જવા છત્તાં તેમાં કોઇ સુધારો થયો નથી. ભવનમાં તિરાડો પણ પડી ગઇ હતી. છત્તાં તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતાં ભવન પડી ગયું હતું. હજુ ભવનનાં નિર્માણમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. એક માસથી પ્રવાસીઓ માટે શિલાલેખની મુલાકાત બંધ રાખવામાં આવી છે. જન્માષ્ટમીનાં તહેવારમાં અનેક મુલાકાતીઓ નિરાશ થઇને જતા હતા. તેમ આજની તારીખે પણ મુલાકાતીઓ આવી રાા છે. હાલ ભવનની બે દિવાલો ઉભી છે. એ પણ ડેમેજ થવાનાં કારણે પડું પડું થઇ ગઇ છે. આ દિવાલો વહેલી તકે ઉતારી લેવામાં આવે એવી માંગ ઉઠી છે.
તસ્વીર : મેહુલ ચોટલીયા
ચોમાસા બાદ કામ શરૂ થવાની શકયતા
હાલ વરસાદની સીઝન ચાલી રહી હોઇ શિલાલેખનાં ભવનની કામગીરી આગળ વધતી નથી. પરંતુ ચોમાસા બાદ ભવનનાં નિર્માણની કામગીરી આગળ વધશે. એ વખતે હાલ ઉભેલી દિવાલો પણ ઉતારી લેવાશે.
કાટમાળ જેમનો તેમ
ભવન ધરાશાયી થયા બાદ શિલાલેખ ઉપર પડેલો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં શિલાલેખને પ્લાસ્ટીકથી ઢાંકી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ શિલાલેખની આસપાસ કાટમાળ જેમનો તેમ પડયો છે. જેને હજૂ દુર કરવામાં આવ્યો નથી.

No comments: