
Sarman Ram, Junagadh | Aug 01, 2014, 19:03PM IST
દીકરીનાં જન્મને એક માસ બાદ આજે ચોમાસાની સીઝનમાં પરીવારે શાળામાં જઇ
૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કર્યું હતુ. હાલ સરકાર વન મહોત્વસની ઉજવણી કરી રહી છે.
દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તેવા સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. તો બીજી
તરફ દીકરી જન્મને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. બન્નેનો સમન્વય
જૂનાગઢનાં આહીર પરીવારમાં જોવા મળ્યો છે. હા જૂનાગઢનાં હમીરભાઇ રામની દીકરી
ક્રિષ્નાબેનનાં લગ્ન રાવલીયા પરીવારમાં કર્યા હતા. ક્રિષ્નાબેને જૂનમાસમાં
દીકરીને જન્મ આપ્યો હતો. આહીર પરીવારમાં દીકરી જન્મથી ખુશીનો માહોલ જોવા
મળ્યો હતો. દીકરી જન્મ સાથે વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ આજે
આહીર પરીવારે પુર્ણ કર્યો છે. દીકરીનાં જન્મને લઇને આહીર પરીવારે માણાવદરની
સરાડીયા પ્રાથમીક શાળા અને આસપાસનાં ગામમાં ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કરી વૃક્ષ
ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો છે. વૃક્ષનુ વાવેતર ખરા અર્થમાં દીકરી જન્મને
વધાવ્યો હતો.

(તસવીર: ક્રિષ્નાબેન પોતાની એક મહિનાની દીકરી સાથે)
દીકરીનાં જન્મે ઓછામાં ઓછુ એક વૃક્ષનુ વાવેતર કરવુ જોઇએ
દીકરીનાં નાનાએ હમીરભાઇ રામએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી પોતે
દીકરીનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરવાની વાત કરી છે. ત્યારે અમે દીકરી
જન્મને વધાવવા ૨૦૧૪ વૃક્ષનુ વાવેતર કર્યું છે. નવી પેઢી માટે હરીયાળી
કાંતિનો સંદેશ છે. તેમ વર્તમાન સમયમાં આટલી ગરમી પડી રહી છે ત્યારે દરેક
વ્યક્તિ બાળકનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરશે તો ભવિષ્યમાં પર્યાવરણને
બચાવી શકાશે.
No comments:
Post a Comment