
જૂનાગઢ કષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ અને રાજકોટ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સયુકત ઉપક્રમે કષિ યુનિ.માં જીવદયા અને પ્રાણી કલ્યાણ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરનાં ૫૦૦ થી વધુ જીવદયા પ્રેમી હાજર રાા હતા. આ સેમિનારનુ ઉદ્ધાટન કષિ યુનિનાં કુલપતિ ડો. એન.સી.પટેલ, કિશોરચંદ્રબાવા, ભીખુદાનભાઇ ગઢવી, કોલેજનાં ડીન અને પ્રિન્સીપાલ ડો. પી.એચ. ટાંક એ કર્યુ હતુ. સેમિનારમાં હાજર જીવદયા પ્રમીઓઐ વેટરનરી કોલેજનાં ડોકટરો સાથે વાર્તાલાપ કર્યોહતો અને પ્રશ્નોનાં જવાબ વિજ્ઞાનિક પઘ્ધતીથી આપ્યા હતા.તમેજ જીવદયાને વિજ્ઞાન સાથે જોડવાની અપીલ કરી હતી. આજે લોકો જીવદયા કરતા હોય છે પરંતુ ઘણી વખતે તેમ કરવાથી પ્રાણીઓ પર જોખમ પણ ઉભુ થતુ હોય છે. જેમ કે ગાયને રોટલી આપતી વખતે આ રોટલી આપણે પ્લાસ્ટીકની કોથળીમાં લઇ જતા હોય છે. ગાયને રોટલી આપ્યા બાદ પ્લાસ્ટીક ત્યા જ ફેકી દેતા હોઇએ છીએ. બાદ પ્લાસ્ટીક ગાય આરોગી જતી હોય છે. ગાયના઼ પેેટમાં પ્લાસ્ટીક જાય છે. આવા સંજોગોમાં શુ કરવુ , તેમજ પશીઓ માટે ચબુતરો કયા બનાવવો, પાણીનાં કુડા કયા રાખવા ? જેવી વિગતો વિજ્ઞાનીક પઘ્ધતીથી સમજાવવામાં આવી હતી. આ કાયક્રમનુ આયોજન ડો. ભાવેશભાઇ જાવિયા, ડો. અતુલ પટેલ, મીતલભાઇ ખેતાણીએ કર્યુ હતુ.
No comments:
Post a Comment