Friday, September 30, 2016

બાબાપુરમાં નદીના પટમાં સિંહણ દ્વારા બકરીનું મારણ

DivyaBhaskar News Network | Sep 06, 2016, 04:35 AM IST
સિંહણ આવી ચઢતા ગામલોકોમાં ફફડાટ

અમરેલીતાલુકાના બાબાપુર તથા આસપાસના વિસ્તારમાં હવે સાવજોએ કાયમી ઘર વસાવી લીધુ છે. વિસ્તારમાં અવાર નવાર સાવજો દ્વારા મારણની ઘટના બનતી રહે છે. આવી વધુ એક ઘટનામાં મોડી સાંજે સાતલડી નદીના પટમાં એક સિંહણ અને તેના બે બચ્ચા દ્વારા બકરીનું મારણ કરાતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. બાબાપુરની આસપાસની બાવળની કાંટ સાવજોને રહેણાંક માટે માફક આવી ગઇ છે. સાતલડી નદીના કાંઠેનો બાવળનો કાંટના વિસ્તારમાં અવાર નવાર સાવજો આવી ચડે છે અને મારણ પણ કરતા રહે છે. આજે મોડી સાંજે સાડા છએક વાગ્યાના સુમારે વિસ્તારમાં એક સિંહણ અને તેના બે બચ્ચા આવી ચડયા હતાં. સાતલડી નદીના પટમાં ખીમજીભાઇ ભરવાડની માલીકીની એક બકરી ચરી રહી હતી જેનું સિંહણે મારણ કર્યુ હતું. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે અને લોકોને સતત સીમમાં અવર જવર કરવી પડે છે. રાતવાસો પણ કરવો પડે છે.

No comments: