Friday, May 31, 2019

લાઠીના લુવારીયા ગામે સાવજે ત્રણ પશુનું મારણ કરી મિજબાની માણી

Divyabhaskar.com

May 31, 2019, 10:46 AM IST
In Luvariya village, LION KILLED 3 ANIMAL IN AMRELI

  • સાવજોના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ

અમરેલી:લાઠીના લુવારીયા ગામની સીમમાં આવેલા એક વાડીમાં ગઇકાલે એક ડાલામથ્થા સાવજે ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીં આવેલા પાનસુરીયા પરિવારની વાડીએ એક સિંહ શિકારની શોધમા આવી ચડ્યો હતો. આ સિંહે વાડીમાં એક વાછરડો અને એક વાછરડીને ફાડી ખાધા હતા અને એક ગાયને ઇજા પહોંચાડી હતી. ઘાયલ ગાયને જીવદયાપ્રેમીની મદદથી સારવાર આપવામા આવી હતી. જો કે સારવાર કારગત નિવડી ન હતી અને ગાયનુ પણ મોત નિપજયું હતુ. આમ અહી સિંહે ત્રણ પશુનું મારણ કરતા ગ્રામજનોમા પણ ફફડાટ ફેલાયો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/in-luvariya-village-lion-killed-3-animal-in-amreli-1559279754.html

No comments: