Friday, May 31, 2019

વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે

DivyaBhaskar News Network

May 31, 2019, 12:15 PM IST
વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બનાવો અંગે ચિંતા વ્યકત કરી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, વિસાવદર પંથકમાં દિપડાનો ત્રાસ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા રાની પશુઓનો ત્રાસ કાયમી માટે દૂર કરવા અને વધતી જતી દિપડાની વસ્તીને નાથવા સરકાર નક્કર કાર્યવાહી કરે. આ ઉપરાંત વન્યપ્રાણીના હુમલામાં મોતને ભેટેલા ખેડૂતોના વારસદારોના પરિવારને 10 લાખની સહાય આપવી જોઇએ.

મનુષ્યની જીંદગીથી અમૂલ્ય જીંદગી કોઇની હોઇ શકે નહિ. ત્યારે પોતાનો જીવ બચાવવા ખેડૂતો કે ખેત મજૂરો વન્ય પ્રાણીનો હથિયારથી પ્રતિકાર કરે અને તેમાં વન્યપ્રાણીનું મોત થાય ત્યારે આવા કિસ્સામાં પણ વન વિભાગ આકરી સજા કરે છે તેમાં ફેર વિચારણા કરવાની જરૂર છે. જયારે વિસાવદરના કાંકચીયાળા ગામના શારદાબેન વાવૈયાને દિપડાએ ફાડી ખાધા હતા. આ બનાવથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

દરમિયાન દિપડી પાંજરે પૂરાઇ તો વનવિભાગના કર્મીઅોએ દિપડીને માનવભક્ષી ગણાવી ગ્રામજનોને ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા હર્ષદભાઇ રિબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-incidents-of-attack-on-wildlife-have-increased-when-121510-4664081-NOR.html

No comments: