Friday, May 31, 2019

દલખાણીયામાંથી મળી આવેલ સિંહબાળનું સારવારમાં મોત

DivyaBhaskar News Network

May 29, 2019, 06:20 AM IST
ધારી ગીરપુર્વ દલખાણીયા રેંજ કરમદડી રાઉન્ડ હિરાવા બીટમાથી પંદરેક દિવસ પહેલા એક બિમાર સિંહબાળ મળી આવ્યુ હતુ. જેને પગલે વનવિભાગ દ્વારા આ સિંહબાળને ધારી ખાતે સારવારમા ખસેડાયુ હતુ. જયાં આજે આ સિંહબાળનુ મોત નિપજયું હતુ.

સિંહબાળના મોતની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીની દલખાણીયા રેંજના હિરાવા બીટમાથી તા. 16/5ના રોજ એક છ માસની ઉંમરનુ સિંહબાળ બિમાર હાલતમા મળી આવ્યું હતુ. આ સિંહબાળને સારવાર માટે ધારી કેસરી સદન ખાતે ખસેડવામા આવ્યું હતુ. આજે આ સિંહબાળનુ મોત નિપજયું હતુ. સિંહબાળનુ પેરાલીસીસના કારણે મોતનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યું હતુ. ડીએફઓ પી.પુરૂષોતમાની દેખરેખ હેઠળ ડો. હિતેષ વામજા દ્વારા સિંહબાળનુ પીએમ કરાયુ હતુ અને નમુના જુનાગઢ ખાતે મોકલાયા હતા.

આમ અવારનવાર દલખાણીયા રેંજમાં સાવજો મોતને ભેટી રહ્યાં છે ત્યારે વનવિભાગ દ્વારા તાકીદે તપાસ કરવા સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-death-in-treatment-of-sinhala-found-in-dalkinia-062015-4649195-NOR.html

No comments: