Thursday, December 26, 2019

ધારીના ખીચા ગામે વહેલી સવારે 4 સાવજ ઘૂસ્યા, 4 ગાયોનું મારણ કર્યું

  • દીપડા બાદ સિંહોના આટાંફેરા વધતા લોકોમાં ભયનો માહોલ

Divyabhaskar.com

Dec 13, 2019, 02:58 PM IST
અમરેલી: અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક વધ્યો છે. ત્યારે સિંહોની રંજાડ પણ વધી રહી છે. ધારીના ખીચા ગામે આજે વહેલી સવારે 4 સિંહો ઘૂસી આવ્યા હતા અને રસ્તા પર રઝળતી 4 ગાયોનું મારણ કર્યું હતું. સિંહોએ મીજબાની માણતા લોકોમાં ભય ફેલાયો છે. વન વિભાગને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/4-lion-attack-on-4-cow-in-khicha-village-of-dhari-126281436.html

No comments: