Monday, February 18, 2013

વિફરેલી સિંહણે બે વ્યકિત પર હુમલો કર્યો.

વિફરેલી સિંહણે બે વ્યકિત પર હુમલો કર્યો
Dilip RAval, Amreli  |  Feb 04, 2013, 14:49PM IST
- આંબલીયાળાની સીમમાં બનેલો બનાવ, લગ્નપ્રસંગ હોય ટ્રેકટર લઇને રેતી ભરવા ગયા હતા બંન્ને
હજુ બે દિવસ પહેલા ધારીના સોઢાપરા ગામની સીમમાં એક સિંહણે ફોરેસ્ટર પર હુમલો કરી ઘાયલ કરી દીધાની ઘટના તાજી છે ત્યાં આજે સવારે ખાંભા તાબાના આંબલીયાળા ગામની સીમમાં સિંહણે બે વ્યકિત પર હુમલો કરી ઘાયલ કરી દેતા ૧૦૮ની મદદથી સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
બે વ્યકિત પર સિંહણના હુમલાની ઘટના ખાંભાના આંબલીયાળા ગામની સીમમાં બની હતી. આંબલીયાળા ગામે બાલુભાઇ ટપુભાઇ મકવાણાને ત્યાં લગ્નપ્રસંગ હોય ભરતભાઇ બેચરભાઇ પરમાર (ઉ.વ.૨૫) તેમજ હરેશભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ.૩૫) અને શૈલેષભાઇ મકવાણા (ઉ.વ.૨૫) ટ્રેકટર લઇને રેતી ભરવા ગયા હતા.
વાંસીયાળી અને આંબલીયાની વચ્ચે આવેલ નહેરામાંથી અચાનક એક સિંહણ ધસી આવતા ભરતભાઇ અને હરેશભાઇ પર હુમલો કર્યો હતો. જ્યારે શૈલષભાઇ ભાગવા જતા તેને ઇજા પહોંચી હતી. સિંહણે હરેશભાઇ અને ભરતભાઇને પગમાં ઇજા પહોંચાડી હતી. સિંહણે હુમલો કરતા રાડારાડ બોલી જતા લોકો એકઠા થઇ જતા સિંહણ નાસી છુટી હતી. ત્રણેયને ૧૦૮ની મદદથી સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હરેશભાઇને ગંભીર ઇજા પહોંચી હોય વધુ સારવાર માટે અમરેલી રફિર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી આરએફઓ એન.બી.પરડવા, ફોરેસ્ટર જે.બી.ભટ્ટી તથા સ્ટાફના પલાસભાઇ, પાથરભાઇ વગેરે દોડી ગયા હતા. સિંહણનાં હુમલામાં ઘવાયેલા યુવાનોની તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: પૃથ્વી રાઠોડ, ખાંભા

No comments: