Tuesday, February 19, 2013

રાજુલા પંથકમાં વિહરતા એક હજાર પક્ષીઓ પર જોખમ.


રાજુલા,તા,૧૭
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં વિહરતા એક હજાર જેટલા પેલિકન પક્ષીઓ પર જોખમ વધતું જાય છે. વિકટર, ચાંચ બાદ ગઈકાલે રાજુલામાં દશ જેટલા પેલિકન પક્ષીના મોત થતાં પક્ષીવિદોમાં ચતાની લાગણી જન્મી છે.
  • છાશવારે થતાં પેલિકન પક્ષીના મોતઃપક્ષીવિદોમાં ચિંતા
રાજુલા અને જાફરાબાદ પંથકમાં એક હજાર ઉપરાંત પેલિકન પક્ષીઓ વસવાટ કરે છે. આ વિદ્દેશી પક્ષીઓ ધાતરવડી ડેમ અને દરિયાકાંઠા વિસ્તારની શોભા વધારી રહ્યાં છે. આ પેલિકન પક્ષીઓના થતાં મોતથી લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. અગાઉ વિકટર અને ચાંચ વિસ્તારમાં પક્ષીઓ મોતને ભેટયા હતા. ગઈકાલે ધાતરવડીના પટ્ટમાં દશ પક્ષીઓ મોતને ભેટયા હતા. આ વિસ્તારની શોભા વધારી રહેલાં પક્ષીઓ મોતને ભેટતા ચીંતાની લાગણી ઉભી થવા પામી છે. આ બાબતે તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=121146

No comments: