
Divyabhaskar.com | Feb 16, 2013, 13:00PM IST
- રાત્રીનાં સમયે વરસાદથી નાના ગામો પાણી પાણી થઇ ગયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલ્ટો થવાથી વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે પણ સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરોમાં વાદળો ઘેરાયા હતા અને માવઠું થવાની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. વાતાવરણમાં પલ્ટાથી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન ગત મોડી રાત્રે જુનાગઢ તાબેનાં સાસણ અને મેંદરડા પંથકમાં જોરદાર માવઠું થયાનાં સમાચાર મળી રહ્યાં છે. સાસણનાં આંકોલવાડી, જામવાડ, વિરપુર બોરવાવ,રમણેચી સહિતનાં ગામોમાં રાત્રીનાં વરસાદ વરસ્યો હતો. જોરદાર ઝાપટાથી ગામડાઓ પાણી પાણી થઇ ગયા હતા. તલાલા પંથકમાં અંદાજિત ૧૦ મી.મી. વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું છે.
સાસણ વિસ્તારમાં માવઠું થવાને કારણે કેરીને પાકને પણ અસર થવાની પુરેપુરી સંભાવના છે.
જુનાગઢ સિવાય અન્યત્ર શહેરોમાં સવારે વાતાવરણ ખુલ્લુ થઇ ગયું છે. રાજકોટમાં સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
- રાત્રીનાં સમયે વરસાદથી નાના ગામો પાણી પાણી થઇ ગયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલ્ટો થવાથી વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે પણ સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરોમાં વાદળો ઘેરાયા હતા અને માવઠું થવાની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. વાતાવરણમાં પલ્ટાથી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન ગત મોડી રાત્રે જુનાગઢ તાબેનાં સાસણ અને મેંદરડા પંથકમાં જોરદાર માવઠું થયાનાં સમાચાર મળી રહ્યાં છે. સાસણનાં આંકોલવાડી, જામવાડ, વિરપુર બોરવાવ,રમણેચી સહિતનાં ગામોમાં રાત્રીનાં વરસાદ વરસ્યો હતો. જોરદાર ઝાપટાથી ગામડાઓ પાણી પાણી થઇ ગયા હતા. તલાલા પંથકમાં અંદાજિત ૧૦ મી.મી. વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું છે.
સાસણ વિસ્તારમાં માવઠું થવાને કારણે કેરીને પાકને પણ અસર થવાની પુરેપુરી સંભાવના છે.
જુનાગઢ સિવાય અન્યત્ર શહેરોમાં સવારે વાતાવરણ ખુલ્લુ થઇ ગયું છે. રાજકોટમાં સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
No comments:
Post a Comment