Monday, February 18, 2013

લીલીયા પંથકમાં સાવજોનો તરખાટ, પાંચ પશુનાં કર્યા મારણ.


લીલીયા પંથકમાં સાવજોનો તરખાટ, પાંચ પશુનાં કર્યા મારણ
Dilip Raval, Amreli  |  Feb 10, 2013, 23:08PM IST
- કાંક્રચ અને મોટા કણકોટ દેવળીયામાં સાવજોએ મીજબાની માણી
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ગઇકાલે રાત્રીના ચાર સાવજોએ એક ખુંટીયાનુ મારણ કર્યું હતુ. આ ઉપરાંત મોટા કણકોટ દેવળીયાના રસ્તા પર બે ગાયોનો શિકાર કરી મજિબાની માણી હતી. તેમજ અન્ય બે બકરાઓનુ મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
લીલીયાના ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ગઇકાલે રાત્રીના ક્રાંકચમાં ત્રણ સિંહ અને એક સિંહણે ખુટીયાનો શિકાર કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત અન્ય એક મારણની ઘટનામાં મોટા કણકોટ નજીક દેવળીયા માર્ગ પર જીણાભાઇ નાથાભાઇ ચૌહાણની માલિકીની બે ગાયોનો સિંહ પરિવારે શિકાર કર્યો હતો.
સાવજોએ કરેલા મારણની ફાઇલ તસવીરો તેમજ વધુ વિગત વાંચવા આગળ સ્ક્રોલ કરો.

No comments: