Monday, February 18, 2013

માંગરોળ પંથકમાં કુંજ પક્ષીનાં શિકાર, શિકારીઓને નથી ખોફ.

માંગરોળ પંથકમાં કુંજ પક્ષીનાં શિકાર, શિકારીઓને નથી ખોફ

Bhaskar News, Mangrol  |  Feb 15, 2013, 00:29AM IST
- શીલબારા નજીક જીઆરડીના જવાનોએ પડકારતા ૪ શિકારીઓ અંધારામાં પલાયન : ઘટનાસ્થળેથી અંદાજે ૫.૫ ફૂટનો પતંગ, દોરી, જાળ કબ્જે
- શિકારીઓને વનખાતાનો ખોફ નથી : કોડીનાર, ઊના અને માંગરોળ પંથક એપી સેન્ટર


માંગરોળ નજીક શીલબારા પાસે ગતરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય રક્ષક દળના જવાનોએ કુંજપક્ષીઓનાં શિકારની પેરવી કરતા શખ્સોને પડકારતા ચાર શિકારીઓ અંધારામાં પલાયન થઇ ગયા હતા. ધટનાસ્થળેથી સામાન્ય માણસના કદ જેટલો મોટો પતંગ, દોરી, જાળ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. વનખાતાએ વધુ તપાસ હાથ ધરી છે.

મજિબાની માટે માંગરોળનાં આજુબાજુના વિસ્તારોમાં નિર્દોષ પક્ષીઓના શિકારની પ્રવૃતિ ડામવા વનખાતુ નિષ્ફળ પુરવાર થયું હોય તેમ વિસેક દિવસ પહેલા ત્રણ કુંજ પક્ષીઓના શિકાર સાથે ૪ શખ્સો ઝડપાયા બાદ શીલબારા પાસે હજુ પણ આ પ્રવૃતિ બેરોકટોક ચાલુ છે. અત્રેથી ૧૨ કિ.મી. દૂર આવેલી દરિયાઇ પટ્ટી પર ગ્રામ્ય સુરક્ષા દળ (જીઆરડી)ના બે જવાનો રાત્રીનાં ૯:૩૦ કલાકે પેટ્રોલીંગમાં હતા. એ સમયે કશુંક શંકાસ્પદ જણાતા તેમણે બાઇકની લાઇટો બંધ કરી તપાસ હાથ ધરી હતી.

જ્યાં થોડે દૂર ચારેક શખ્સો વિદેશથી આવતા કુંજ પક્ષીઓના શિકારની તૈયારી કરતા નજરે પડતા જવાનોએ તેમને પડકાર્યા હતા. દરમિયાન શિકારીઓ ભાગવા લાગતા આ યુવાનોએ તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાત્રીના અંધારામાં શિકારની પ્રવૃતિમાં વપરાતી જાળમાં એક જવાનનો પગ ફસાઇ જતા તે જમીન પર ફસડાઇ પડ્યો હતો.

જેનો લાભ લઇ શિકારીઓ મુઠીઓ વાળીન ેનાસી છુટયા હતા. આ અંગે ગીર નેચર યુથ ક્લબના સદસ્યોનો મોબાઇલ પર સંપર્ક કરતા ૧૦ થી ૧૫ જેટલા યુવાનો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા. અડધોથી પોણો કિ.મી. જંગલ વિસ્તારમાં ફંફોળવા છતાં શિકારીઓ હાથ લાગ્યા ન હતા.

No comments: