Wednesday, December 31, 2014

બિમાર પશુઓના ફેંકાતા મૃતદેહના ભોજથી બૃહદગીરના સાવજોમાં રોગચાળાની ભીતિ.

Dec 22, 2014 00:01

  • લીલીયા વિસ્તારમાં વસવાટ કરતાં વન્યપ્રાણીઓને વાયરલ બિમારી લાગવાનો ખતરો
લીલીયા :  ગીર અભ્યારણ અને બૃહદગીર નજીકના વિસ્તારોમાં આવેલા વિસ્તારમાં ભયંકર બિમારીના કારણે પશુઓના મોત થયા પછી ભામમાં ખુલ્લામાં મૃતદેહો ફેંકી દેવામાં આવે છે જેની ગંધથી સિંહો અને અન્ય પ્રાણીઓ અસંખ્ય પડેલા મૃતદેહો સુધી ખોરાક મેળવવા પહોંચી જાય છે. જેથી સિંહો અન્ય વન્યપ્રાણીઓ પર વાયરલ ઈન્ફેકશન અને પ્રોટોઝુઅલ ઈન્ફેકશનના કારણે સ્ત્રોત થવાનો ખતરો હમેશા મંડરાતો રહે છે. યોગ્ય પગલાં લેવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.
ગીર અભ્યારણ અને બૃહદગીર વિસ્તારમાં અનેક જગ્યાએ ગાયોનો વસવાટ છે જેમાં મોટા પ્રમાણમાં ગાયો સહિતના પશુઓને નિભાવવામાં આવી રહ્યા છે. તે ખરેખર સરાહનીય કામગીરી ગણાવી શકાય પણ ગાયો અને અન્ય પશુઓ મૃત્યુ પામે છે તેમાં મોટાભાગે ભયંકર બિમારીનો ભોગ બનેલી ગાયો અન્ય પશુઓ મોતને ભેટતા હોય છે. જે મૃતદેહો સંચાલકો ખુલ્લામાં પશુઓના મૃતદેહો ફેકી દેતા હોવાથી ગીર અભ્યારણ અને બૃહદગીર વિસ્તારની નજીક વસવાટ કરતા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ મૃતદેહોની ગંધ મેળવી પડલા મૃતદેહો સુધી મારણ ખાવા પહોચીં જતા હોય છે. મોટાભાગે ગંભીર બિમારીઓના કારણે ગૌશાળામાં પશુઓના મોત થતા હોય છે. જે ખાવાથી મહામુલા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓમાં વાયરલ ઈન્ફેકશન અને પ્રોટોઝુઅલ ઈન્ફેકશન થવાના કારણે મોત થવાનો ખતરો હમેશા મંડરાતો રહેતો જોવા મળી રહ્યું છે અને ખુલ્લામાં નખાતા મૃતદેહોના કારણે માનવ વસવાટમાં નાની મોટી બિમારીઓ અને દુર્ગંધ યુકત વાતાવરણ જોવા મળી રહે છે. તેવા સમયે વનતંત્ર અને આરોગ્ય વિભાગે નક્કર પગલાં ભરી પશુઓના મોતબાદ મૃતદેહોને ખુલ્લામાં ન ફેકવા પશુઓના મોતબાદ મૃતદેહો પરથી ચામડુ ઉતારી લઈ મૃતદેહને જમીનમાં દફનાવી દેવો જોઈ અથવા તો તેનો નિકાલ કરવો જોઈએ ઘણી વાર ભામમાં પડેલા પશુઓના મૃતદેહો કુતરા ખાવા પહોચીં જતા હોય છે પાછળથી સિંહો પણ આ મૃતદેહો ખાવા આવી જતા હોય છે જેના કારણે કુતરામાંથી મળી આવતો બેકટેરીયા કેનાઈન ડિસ્ટેમ્પર નામનો વાયરલ પણ સિંહોના મોતનું કારણ બની શકે છે. આ અંગે લાયન નેચર ફાઉન્ડેશન પ્રમુખ મનોજ જોષીએ પી.સી.સી.એફ, શ્રી સી.એન.પાંડે અને આરોગ્ય વિભાગને લેખીત રજૂઆતો કરેલ છે.

No comments: