Dec 24, 2014 00:21
કોડીનાર : કોડીનારના કોટડાબંદરે એક મકાનમાં દીપડી ઘૂસી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, આસપાસના
લોકોએ સમયસુચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરી વનવિભાગને જાણ કરતા સ્ટાફે
રેસ્કયુ કરીને ચાર કલાક બાદ દીપડીને પાંજરે પુરવામાં સફળતા મળતા સૌએ
હાંશકારો અનુભવ્યો હતો. કોટડાબંદરના ભીંડીશેરીમાં આવેલા શમીબેન ભગવાનભાઈ
ચાવડાના મકાનમાં સવારે ૧૧ વાગે એક વર્ષની દીપડી ઘૂસી ગઈ હતી સદભાગ્યે ઘરના
લોકો બહાર હતા અને દીપડી ઘૂસી જવાની જાણ થતા ઘરના લોકોએ દરવાજા બંધ કરી
જામવાળા વનવિભાગને જાણ કરતા એન.એમ.ભરવાડ, ગોપાલ રાઠોડ સહિતના
લોકોએ તુરત જ કોટડાબંદરે પહોંચી જઈ દીપડીને પીંજરામાં પુરી લીધી હતી.
કોટડાબંદર વિસ્તારમાં છેલ્લા ર૦ દિવસ દરમ્યાન દીપડા પકડવાનો આ ત્રીજો બનાવ
છે. પહેલા બે બનાવમાં ગામની આસપાસ દીપડાના આટાફેરાના કારણે માજીસરપંચ
બાબુભાઈ બારૈયાએ તંત્રને જાણ કરી બે અલગ-અલગ જગ્યાએથી દીપડી પકડયા હતા
જયારે આજે દીપડી ઘરમાં ઘૂસી જવાના બનાવથી લોકોમાં ભય ફેલાયો હતો સદભાગ્યે
કોઈ અનીચ્છનીય બનાવ નહી બનતા અને તંત્રએ દીપડી પકડી લેતા લોકોના શ્વાસ
હેઠાં બેઠા હતા.
No comments:
Post a Comment