Wednesday, December 31, 2014

ગીરને ગજવતો વનરાજ ઈજાની સારવાર માટે વનતંત્રનો મોહતાજ.

Dec 26, 2014 00:08

  • હડાળા નજીક જંગલમાં ત્રણ દિવસથી ઈલાજના વાંકે કણસતો સાવજ
અમરેલી :  હડાળાના જંગલમાં ત્રણ દિવસ પૂર્વે ઈજાના કારણે કણસી રહેલા સિંહ અંગે માલધારીઓએ વન વિભાગને જાણ કરવા છતાં સમયસર રેસ્કયુ ટીમ ન પહોંચતા ત્રણ ત્રણ દિવસ પછી પણ ઈજાગ્રસ્ત સિંહને સારવાર મળી શકી નથી.
આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ધારી ગીર પૃર્વમાં હડાળાના જંગલમાં ત્રણ દિવસ પૃર્વે ઈજાગ્રસ્ત હાલતમાં કણસી રહેલો એક સિંહ જોવા મળ્યો હતો. માલધારીઓ દ્વારા આ અંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પણ લાંબા સમય સુધી વન વિભાગની રેસ્કયુ ટીમ ન પહોંચતા સિંહ જંગલમાં અદ્રશ્ય થઈ ગયો હતો.
ત્રણ-ત્રણ દિવસથી આ ઈજાગ્રસ્ત સિંહ જંગલમાં હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ તેનું પગેરૃ મેળવી શકયા નથી.અગાઉ પણ ધારી ગીર પૂર્વમાં સમયસર સારવાર ન મળવાથી એક સિંહ અને એક દિપડાનું મોત થયું હતું. વન વિભાગના કર્મચારીઓને શિયાળાની ઠંડી લાગી ગઈ હોય તેમ માલધારીઓ દ્વારા જાણ કરવા છતાં પણ વન વિભાગના કર્મચારીઓ સમયસર પહોંચતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓની ઠંડી ઉડાડે તે જરૃરી છે.

No comments: