Wednesday, December 31, 2014

૧૦૦ ગામ માટે વન અધિકાર સમિતિ, પણ તેણે કામગીરી શં કરવી ?

Dec 27, 2014 00:07

  • લાભ આપવાને બદલે અધિકારો ઝૂંટવાઈ રહ્યાંનો દલિત સંગઠનનો આક્ષેપ
તાલાલા : તાલાલા પંથક સહિત ગિર સોમનાથ જિલ્લામાં વન અધિકાર કાયદા હેઠળ ૧૦૦ ગામો માટે વન અધિકાર સમિતિ બનાવાઈ છે, પરંતુ આ સમિતિઓએ શું કામગીરી કરવી તે ની કોઈ માહિતી પ્રશાસન તરફથી અપાઈ નથી. ઉપરાંત પ્રજાને અધિકારો આપવાને બદલે ઝુંટવાઈ રહ્યાં હોવાનો આક્ષેપ દલિત સંગઠન દ્વારા કરાયા છે.
ગિર સોમનાથ જિલ્લા સૌરાષ્ટ્ર દલીત સંગઠનના પ્રમુખ જેઠાભાઈ સોસાના જણાવ્યા પ્રમાણે વન અધિકાર કાયદો-૨૦૦૬ અંતર્ગત ગિર સોમનાથ જિલ્લાના ૧૦૦ ગામોમાં વન અધિકાર સમિતિની રચના કરવામાં આવી છે.
પરંતુ સમિતિએ શુ કામગીરી કરવાની ? કેવી રીતે કરવી ? તેની કોઈ માહિતી પ્રશાસન તરફથી સમિતિઓને આપવામાં આવી નથી.
જેના કારણે આ જિલ્લામાં ખેતીની જમીન અને રહેણાંક મકાનો અંગે વન વિભાગ સામે ચાલતા વાદ વિવાદનો કોઈ ઉકેલ આવેલ નથી. એટલું જ નહીં વન અધિકાર કાયદાગ્રામ્ય પ્રજા તથા ખેડૂતોને પ્રાપ્ત થતાં અધિકારો આપવાને બદલે પ્રજા અને ખેડૂતોના અબાધીત અધિકારો વન વિધાગે છીનવી રહ્યું હોવાનો ખૂલ્લો આક્ષેપ કરી આ સગઠને તપાસની માગણી કરી છે.
આ અગ્રણીએ વન કાયદા હેઠળ મળેલા અધિારોની અમલવારી કરવા અને વન અધિકાર સમિતિને તેમની ફરજની વિગતો અને જરૃરી સાહિત્ય સાથે સમિતિઓને કાર્યરત કરવાની માગણી કરાઈ છે.

No comments: