Thursday, December 31, 2015

િગરનાર આરોહણ ર્સ્પધા સમયે યાત્રાળુઓને કારણે ર્સ્પધકો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 28, 2015, 03:56 AM IST
આરોહણસ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને મુશ્કેલી પડે તે માટે કલેકટરે જાહેરનામુ બહાર પાડી રાત્રે 12વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી ગિરનાર પર પ્રવાસી તેમજ સામાન્ય લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતા કેટલાક પ્રવાસીઓ ગિરનારના પાછળના સેસાવન થઇને જતા પગથિયા પરથી ગિરનાર પર ચઢી ગયા હતા જૈન દેરાસરમાં સાથે થઇ ગયા હતા જેના કારણે સ્પર્ધકોને હાલાકી ભોગવવી પડી હતી.

આજે શરૂ થયેલી ગિરનાર સ્પર્ધાને લઇ અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં ગિરનાર પર સામાન્ય લોકો માટે અવર-જવર બંધ કરાઇ હતી. જોકે જાહેરનામાનો પ્રવાસીઓએ ભંગ કર્યો હતો. શેશાવનથી જતાં પાછળનાં ભાગેથી કેટલાક પ્રવાસીઓ ચડી ગયા હતાં અને જૈન દેરાસર પાસે સ્પર્ધકો સાથે થઇ જતાં સ્પર્ધકોને ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી હતી. તે સમયે પોલીસ અથવ અન્ય કોઇ કર્મચારી પણ હાજર હતું. ઉપરાંત તે સ્થળ પર અકસ્માત થવાનો ભય સ્પર્ધકોમાં ભય ફેલાયો હતો.

No comments: