Thursday, December 31, 2015

સુત્રાપાડાનાં સરાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો

  • Bhaskar News, Sutrapada
  • Dec 27, 2015, 00:48 AM IST
સુત્રાપાડાનાં સરાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો
- 11 માસનાં બચ્ચાનું બીમારીથી મોતનું તારણ

સુત્રાપાડા: સુત્રાપાડા નાં સરા ગામની સીમમાંથી  11 માસની વયનાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બચ્ચાનું બીમારીથી મોત થયાનું વન વિભાગનું પ્રાથમિક અનુમાન છે. પીએમ બાદ મોતનું ખરૂ કારણ જાણવા મળશે એમ જણાવ્યું હતું.

સુત્રાપાડા તાલુકાનાં સરા ગામની સીમમાં સિંહ બાળનો મૃતદેહ જોવા મળતાં લોકોએ  વન વિભાગને જાણ કરતા આરએફઓ કરંગીયાનાં માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ગોસ્વામી, પંડયા સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ સિંહબાળનાં મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડયો હતો.

આ સિંહબાળનું મોત બીમારીને કારણે થયું હોવાનું વન વિભાગે અનુમાન કર્યુ છે. પરંતુ પીએમ રીપોર્ટ બાદ મોતનું ખરૂ કારણ જાણવા મળશે એમ વન વિભાગે જણાવ્યું હતું. સિંહ બાળનાં મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી હતી.

No comments: