Thursday, December 31, 2015

બીરાઓએ સિંહને શિકાર સમયે કર્યો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 30, 2015, 03:46 AM IST
અમરેલીજીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા મારણની ઘટનાઓ રોજ બને છે. મારણના સ્થળે સિંહ દર્શન માટે ટોળેટોળા ઉમટી પડે છે અને અવાર નવાર સાવજોને હેરાન કરવાની ઘટનાઓ પણ બને છે. શેત્રુજી નદી વિસ્તારમાં ગઇકાલે નબીરાઓએ મારણ કરી રહેલા સાવજને પરેશાન કર્યાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે. રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ આક્રમક બની પગલા લેવામાં ઉણુ ઉતરી રહ્યુ છે. શેત્રુજીના પટમાં અવાર નવાર સાવજો આવતા રહે છે. બલ્કે શેત્રુજી કાંઠાના વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે. તાજેતરમાં અહિં સાવજ દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ ત્યારે સિંહ દર્શન માટે પહોંચેલા નબીરાઓએ તેની વિડીયો ક્લીપ ઉતારી હતી.

No comments: