Tuesday, July 31, 2018

બાબરીયાધારમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર થયો

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 11:48 PM

શિકારીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ : આરએફઓ
National Bird Peacock Hunting In Amreli
રાજુલા: રાજુલા તાલુકામાં આવેલા બાબરીયાધાર ગામમાં સોમનાથ મંદિર પાસે આવેલા 66 કેવી નજીક મોરનો શિકાર કરેલો મોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. વનતંત્રની ટીમ દ્વારા અહીં અલગ અલગ લોકોની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલમાં વનવિભાગને સમગ્ર ઘટનાક્રમની હકીકત મળી ગઈ છે. પરંતુ અહીં શિકારની પ્રવૃતિ કરતા કેટલાક લોકો આ ઘટના બાદ ફરાર થઇ ગયા છે. અને શિકાર કોણે કર્યો તેને લઇને તપાસ ચાલી રહી છે.
શિકારીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ : આરએફઓ

આ અંગે વનવિભાગના આર.એફ.ઓ. રાજલ પાઠકનો સંપર્ક કરતા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળે અમારી ટીમે પહોંચી તપાસ કરી છે. મોરનો શિકાર થયો છે. હાલમાં શિકાર કરનારાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-national-bird-peacock-hunting-in-amreli-gujarati-news-5910514-NOR.html

No comments: