Thursday, July 30, 2020

વનવિભાગની જાેહુકમીથી ખેડૂતાે અને પશુપાલકાેને થતી પરેશાની

  • પશુ ચરીયાણ માટે છુટ આપવા ભાજપ પ્રમુખની CMને રજુઆત

દિવ્ય ભાસ્કર

Jul 24, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લામા ગીર અભ્યારણ્ય અને બૃહદ જંગલ વિસ્તાર આવે છે. વનવિભાગની જાેહુકમીથી ખેડૂતાે અને પશુપાલકાેને પરેશાની વેઠવી પડી રહી હાેય આ પ્રશ્ને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા દ્વારા મુખ્યમંત્રી તેમજ વનમંત્રીને રજુઆત કરવામા આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વનમંત્રી વસાવા તેમજ પ્રભારી મંત્રી જાડેજાને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે વનવિભાગની મનઘડત રીતિ નિતી સામે અનેક વખત ખેડૂતાે, માલધારીઓ ભાેગ બની રહ્યાં છે. જંગલ વિસ્તારમા સાચી દેખરેખ અને રખેવાળી માલધારીઓ અને પશુ પાલકાે કરે છે. પરંતુ વન વિભાગની કામગીરી છુપાવવા પશુ ચરીયાણ પણ બંધ કરાવવામા આવે છે.

તેમણે રજુઆતમા વધુમા જણાવ્યું હતુ કે પશુ પાલકાે અને માલધારીઓને પશુ ચરીયાણની કાેઇપણ કનડગત વગર છુટ આપવામા આવે તેવી માંગ કરી હતી. વનવિભાગ દ્વારા ખેડૂતાે, માલધારીઓને હેરાનગતિ ન થાય અને દાેષીત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. વન્યપ્રાણી અને વન્ય સંપદાનુ જતન કરતા ખેડૂતાે અને માલધારીઓનાે સહકાર લેવાના બદલે તંત્ર લાેકાેને હેરાન પરેશાન ન કરે અને વિકાસના પ્રશ્નાે અટકાવે નહી તે માટે રજુઆત કરાઇ હતી. આમ, વનતંત્રના કર્મચારીઓની મનમાનીથી ખેડૂતો અને પશુપાલકો રોષે ભરાયા છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/harassment-to-farmers-and-pastoralists-due-to-forest-departments-order-127544124.html

No comments: