Thursday, July 30, 2020

રાજુલા પંથકમાં અઢી વર્ષની સિંહણનું બીમારીથી મોત


ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • સિંહણને સારવાર માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડાય હતી

દિવ્ય ભાસ્કર

Jul 09, 2020, 01:17 PM IST

અમરેલી. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વધુ એક સિંહણનું મોત નિપજ્યું છે. 2.5 વર્ષની સિંહણનું બિમારીથી મોત થયું છે. સિંહણને સારવાર માટે રાજુલાથી સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સિંહણનું મોત થતાં સિંહપ્રેમીઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે.

સિંહણ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતી
વાવડી ગામમાં રહેતી સિંહણ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. જેથી ગઈકાલે સાવરકુંડલા રાજુલા વિભાગની સીમમાં વાવડી ગામના મહેસુલ વિસ્તારમાંથી આ સિંહણનું રેસ્ક્યૂ કરી વધુ સારવાર માટે તેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રિફર કરવામાં આવી હતી. પરંતુ સિંહણનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/two-and-a-half-year-old-lioness-dies-of-disease-in-rajula-127494427.html

No comments: