Friday, December 9, 2011

નળસરોવર રોડ ઉપર બેફામ વૃક્ષછેદન સામે હાઇર્કોટમાં રિટ.


Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:22 AM [IST](09/12/2011)
 - ૭૦૦૦ વૃક્ષોના નિકંદનથી પક્ષી અભયારણ્ય સામે તોળાતું જોખમ
- રાજ્ય સરકારને હાઇર્કોટની નોટિસ
- કેસની વધુ સુનાવણી ૧પમી ડિસેમ્બરે

 

સાણંદથી નળ સરોવર વચ્ચેના ૪૨ કિ.મી. લાંબા રસ્તાના વિસ્તરણ માટે ૧૦૦ વર્ષ જૂનાં લીલાછમ વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માર્ગ પર આવતાં અંદાજે ૭૦૦૦ જેટલાં વૃક્ષો કપાતાં પર્યાવરણને તો મોટું નુકસાન થશે, સાથે નળસરોવર 'પક્ષી અભયારણ્ય’ના અસ્તિત્વ સામે પણ સંકટ ઊભું થયું છે. તેથી વૃક્ષોના નિકંદનની કાર્યવાહી રોકવા અને વૈકલ્પિક રસ્તાની માગ સાથે 'જાગેગા ગુજરાત સમિતિ’ દ્વારા એડ્વોકેટ રશ્મિન જાની મારફતે હાઇર્કોટ સમક્ષ જાહેરહિ‌તની અરજી કરાઈ છે.

આ અરજી મામલે હાઇર્કોટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ‌ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ‌ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકાર, કલેક્ટર અમદાવાદ, ડેવલપમેન્ટ ઓફિસર સાણંદ અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને નોટિસ પાઠવી ૧પમી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.આ કેસની વધુ સુનાવણી ૧પમી ડિસેમ્બરે હાથ ધરાશે. એડ્વોકેટ જાનીએ જાહેરહિ‌તની અરજી કરી મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે, 'આ વિસ્તારમાં રોજનાં સંખ્યાબંધ વૃક્ષો કપાઈ રહ્યાં હોવાથી વચગાળાની રાહત આપવી જોઈએ.

રિટ પિટિશનમાં ટાંકવામાં આવેલા કેટલાક મુદ્દાઓ

- સરકાર નળસરોવર રોડને ૧૦ મીટરનો કરી રહી છે.
- ૭૦૦૦ વૃક્ષોના નિકંદનથી આ વિસ્તારમાં ઇકો લોજિકલ ડિઝાસ્ટરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
- આ વિસ્તારમાં યાયાવર પક્ષીઓનાં આશ્રયસ્થાન ઉપરાંત વૈવિધ્યસભર પક્ષીઓના સ્વર્ગસમાન પણ છે.
- વૃક્ષો કપાતાં પક્ષીઓનો વિસામો નષ્ટ થશે.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-appeal-filed-in-high-court-against-cutting-of-trees-at-nalsarovar-2625949.html?OF17=

No comments: