Tuesday, December 13, 2011

વાસનાંધ બનેલા સિંહનો વધુ એક સિંહણ ભોગ બની.

Source: Manish Trivedi, Rajkot   |   Last Updated 2:20 PM [IST](12/12/2011)
જશાધાર રેન્જનાં મધ્ય ગીરમાં આવેલા ખજુરી નેસ નજીક આજે સવારે સિંહણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતા વન વિભાગનાં એસીએફ રૈયાણી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત સિંહણનાં મૃતદેહને પી.એમ. માટે મોકલી અપાયો હતો.
એસીએફ રૈયાણીનાં જણાવ્યાં મુજબ, સિંહણને મેટિંગ દરમિયાન સિંહે મારી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવ સ્થળેથી સિંહનાં પગલાં પણ નજરે પડ્યા છે.
સિંહ સાથેની ઇનફાઇટમાં સિંહણની પાંસળીઓ ભાંગી ગઇ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-2078-2634084.html?OF22=

No comments: