Saturday, December 3, 2011

જૂનાગઢમાં દોઢસો વર્ષ જૂનું વૃક્ષ પડી ગયું, એમ.જી.રોડ બે કલાક બંધ રહ્યો.


જૂનાગઢ, તા.૨
જૂનાગઢ એમ.જી.રોડ પર આવેલ આશરે ૧પ૦ વર્ષ જુનું પીપળાનું વૃક્ષ આજે સવારે અચાનક ધરાશાથી થઈ ગયું હતું. આ વૃક્ષની બાજુમાં જ આવેલા હનુમાનજી મંદિર ઉપર પડતા મંદિર પણ ધરાશાયી થઈ ગયું હતું. જો કે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. વૃક્ષ પડી જવાને કારણે આશરે ર કલાક સુધી એમ.જી.રોડ અને ડબ્બાગલીથી પંચાહાટડીચોક સુધીનો રસ્તો બંધ થઈ જતા ટ્રાફીક ડાયવર્ટ કરવો પડયો હતો.
  • હનુમાનજીનું મંદિર ધરાશાયી, રીક્ષાનો બુકડો બોલી ગયો
સવાર-સાંજ ટ્રાફીકથી ધમધમતા શહેરના એમ.જી.રોડ પર વર્ષો જુનું એક વૃક્ષ આજે સવારે ૧૧.૩૦ કલાકે અચાનક ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ૧પ૦ વર્ષ જૂના આ વૃક્ષની એકદમ નજીકમાં જ હનુમાનજી મંદિર આવેલું છે. વૃક્ષ મંદિર ઉપર પડતા મંદિર સાથે અહીં ઉભેલી એક રીક્ષા અને સ્કુટરનો પણ બુકડો બોલી ગયો હતો.
જો કે સવારે ધરાશાથી થયેલા આ વૃક્ષને કારણે શહેરના હૃદય સમાન આ વિસ્તારમાં બે કલાક સુધી ટ્રાફીક જામ થઈ ગયો હતો. ડબ્બાગલીથી પંચહાટડીનો ટ્http://www.sandesh.com/article.aspx?newsid=14092ઈ તાત્કાલિક આ વૃક્ષને દુર કર્યુ હતું. તેમજ જી.ઈ.બી.ના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ખોરવાયેલો વીજ પુરવઠો ચાલુ કર્યો હતો.
શહેરમાં મોત બનીને ઉભેલા અનેક જર્જરીત વૃક્ષો
જૂનાગઢ, તા.ર
નવાબી કાળના જૂનાગઢ શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષો ઉભા છે. આ વૃક્ષોને કારણે આસપાસ રહેતા રહેવાસીઓ અને રાહદારીઓમાં અકસ્માતની ભીતી રહેવા પામે છે. ત્યારે આ વૃક્ષો પણ ધરાશાયી થાય અને કોઈ મોટુ નુકશાન કે જાનહાનિ સર્જાય તે પહેલા તંત્રએ આ વૃક્ષને દુર કરવા સત્વરે ઘટતું કરવાની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે.
Source: 

No comments: