Wednesday, December 21, 2011

અમિત જેઠવાને મરણોતર અનન્ય એવોર્ડ એનાયત કરાયો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:13 AM [IST](18/12/2011)

ખાંભાના આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાને જી ટીવી દ્વારા મરણોતર એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હીની એક હોટેલમાં યોજાયેલા સમારોહમાં લોક સભાના સ્પીકરના હસ્તે તેમના પત્નીને R એક લાખની ધન રાશી અર્પણ કરવામાં આવી હતી.
માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી સમગ્ર ગુજરાતમાં સરકારીતંત્રમાં ચહલ પહલ જગાવનાર અને ગીરની પ્રકૃતિની રક્ષા માટે જીવનના છેલ્લી શ્વાસ સુધી લડનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની અમદાવાદમાં હત્યા થયા બાદ હવે જી ટીવી દ્વારા તેમનું મરણોતર સન્માન કરવામાં આવ્યુ છે. દિલ્હી ખાતે તાજેતરમાં તાજ પેલેસ હોટેલમાં યોજાયેલા એક સમારોહમાં લોકસભાના સ્પીકર મીરાકુમારના હસ્તે તેમને ‘‘અનન્ય સન્માન ૨૦૧૧’’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
અમિત જેઠવાના પત્ની અલ્પાબેન જેઠવાને આ મરણોતર એવોર્ડ તથા R એક લાખની રકમ અર્પણ કરવામાં આવી હતી. સંસદ પર કરવામાં આવેલા આતંકી હુમલામાં શહીદી વ્હોરનાર સ્વ. જગદશિપ્રસાદ યાદવ, સ્વ. રામપાલસિંગ, સ્વ. બિજેન્દ્રસિંહ ઉપરાંત સ્વ. ઘનશ્યામ પટેલ, સ્વ. ઓમપ્રકાશ વગેરેને પણ અનન્ય સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. અમિત જેઠવાને આ અગાઉ પણ નેશનલ આરટીઆઇ એવોર્ડ, એનડીટીવીનો એવોર્ડ તથા ગ્રીનલેસ એવોર્ડ મરણોતર અર્પણ કરવામાં આવ્યો હતો.

No comments: