Tuesday, December 13, 2011

તાબે ન થનાર સિંહણને પંજો મારી સિંહે મોતને ઘાટ ઉતારી.



અમરેલી,તા.૧ર :
ધારી ગીર પૂર્વના ખજુરીનેસ જંગલ વિસ્તારમાં રાતના સમયે મેટીંગ પીરીયડમાં સિંહને તાબે નહીં થનાર એક પુખ્ત વયની સિંહણને સિંહે પાંસળીઓ ભાંગી નાખી પતાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વન વિભાગે મૃત સિંહણનો કબ્જો લઈ પી.એમ.કરાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
  • ધારીના ખજુરીનેસ જંગલ વિસ્તારની આઘાતજનક ઘટના
આ અંગે મળતી માહિતી મુજબ ધારી ગીર પૃર્વના જસાધાર રેન્જના ખજુરીનેસ જંગલ વિસ્તારમાં મેટીગ પીરીયડમાં આવેલ એક સિંહે ઉત્સાહિત બની એક સિંહણને મનાવી રહ્યો હતો ત્યારે સિંહણ ટસની મસ ન થઈ અને સિંહને તાબે નહી થતા ગુસ્સામાં આવેલા સિંહે સિંહણ ઉપર હુમલો કરી પાંસળીઓ ભાંગી નાખી પતાવી દીધી હતી. સવારે સિંહણનો મૂતદેહ મળી આવતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ડી.એફ.ઓ.મુનીશ્વર રાજાની સુચનાથી વેટરનરી ડો. હિતેશભાઈ વામજાએ સિંહણનું પી.એમ.કર્યું હતું. બાદમાં સિંહણના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૧ર દિવસ પહેલા પાણીયા રેન્જમાં સેમરડીના જંગલ વિસ્તારમાં ત્રણ સિંહોએ એક સિંહણને પતાવી દીધી હતી.
ધારી પૂર્વ ગીર વિભાગમાં ઈનફાઈટમાં બે સિંહણના અને ધોકડવાની સીમમાં વીજશોકથી એક મળી ૨૧ દિવસમાં ત્રણ સિંહણના મોત થયા છે. થોડા દિવસો અગાઉ દલખાણીયા પશ્ચિમ રેન્જમાં સેમરડી વિસ્તારમાં ઈનફાઈટમાં એક સિંહણનું મોત થયું હતું. બાદમાં ધોકડવામાં વીજ આંચકો લાગવાથી એક સિંહણનું મોત થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17476

No comments: