Friday, September 13, 2013

મોટા ઝીંઝુડામાં પાંચ સાવજોએ કર્યું બળદનું મારણ.

મોટા ઝીંઝુડામાં પાંચ સાવજોએ કર્યું બળદનું મારણ
Bhaskar News, Sawerkundla | Aug 30, 2013, 00:06AM IST
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડાની સીમમાં આવેલ એક વાડીમાં મંગળવારની મોડીરાત્રીના એક સાથે પાંચ સાવજો આવી ચડયા હતા. અને વાડીએ બાંધેલ એક બળદનુ મારણ કરી મજિબાની માણી હતી. રાત્રીના સાવજોનુ ટોળુ આવતા ખેડુતોમાં ફફડાટ ફેલાયો હતો.

જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. સાવરકુંડલા પંથકમાં પણ સાવજો આંટાફેરા મારી રહ્યાં હોય ખેડુતોમાં ભય ફેલાયો છે. ત્યારે મંગળવારની મોડીરાત્રીના મોટા ઝીંઝુંડા ગામની સીમમાં આવેલ પરશોતમભાઇ ભગવાનભાઇ સુવાગીયાની વાડીમાં એક સાથે પાંચ સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ. આ સાવજોએ વાડીએ બાંધેલ બળદનુ મારણ કરી મજિબાની માણી હતી. ૨૦ હજારનુ નુકશાન થયુ
હોવાની જાણ પરશોતમભાઇએ વનવિભાગને કરી હતી.

No comments: