Friday, September 13, 2013

ભડિયાદરમાં ૪ સાવજોએ કર્યું બે ગાયનું મારણ.

ભડિયાદરમાં ૪ સાવજોએ કર્યું બે ગાયનું મારણ
Bhaskar News, Una | Sep 11, 2013, 02:41AM IST
ઊનાનાં ભડીયાદર ગામની સીમમાં ગતરાત્રીનાં ચાર સાવજોએ બે ગાયનું મારણ કરતા લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયુ હતું. તાલુકાના ભડીયાદર ગામમાં રહેતા નગીનભાઇ ભગવાનભાઇ નંદવાણાની સીમમાં આવેલી વાડીનાં ઢોરવાડીયામાં ગતરાત્રીનાં ચાર સાવજોએ આવી ચઢી બે ગાયોને મોતને ઘાટ ઉતારી સવાર સુધી નિરાંતે મારણની મિજબાની માણી હતી. આ દ્રશ્ય કેટલાક ગ્રામજનોએ નજરે નિહાળ્યું હતું.

આ અંગે નગીનભાઇએ જશાધાર વન વિભાગની કચેરીએ જાણ કરતા સ્ટાફ સ્થળ પર દોડી જઇ સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. સિંહોનાં આગમનથી ગામમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. જંગલમાં અપૂરતો ખોરાક મળતો હોવાથી ગ્રામ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવવાની ઘટના રોજિંદી બની ગઇ હોય માનવ વસાહત તરફ આવતા અટકાવવા વન વિભાગ ઘટતા પ્રયત્નો કરે એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

No comments: