Saturday, December 31, 2016

અમરેલી: ધારીમાં ઘૂસ્યા પાંચ સિંહો, 4 ગાયોનું મારણ કરી મિજબાની માણી

અમરેલી: ધારીમાં ઘૂસ્યા પાંચ સિંહો, 4 ગાયોનું મારણ કરી મિજબાની માણી,  amreli news in gujarati Jaidev Varu, Amreli | Dec 27, 2016, 01:36 AM IST

  • ગાયનું મારણ કરવામાં આવ્યું
ધારી: ધારીમા વેકરીયાપરામા નર્મદેશ્વર મંદિર નજીક ગતરાત્રીના શિકારની શોધમા ચાર સાવજો આવી ચડયા હતા. આ સાવજોએ અહી ત્રણ વાછરડાઓનુ મારણ કર્યુ હતુ જયારે એક ગાયને ઇજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો.

સાવજો દ્વારા ત્રણ પશુઓના મારણની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના વેકરીયાપરામા ખીચા રોડ પર નર્મદેશ્વર મહાદેવ મંદિર નજીક ગતરાત્રીના ચાર સાવજો આવી ચડયા હતા.

અહી સાવજોએ ત્રણ રેઢીયાર વાછરડાઓનુ મારણ કર્યુ હતુ. આ ઉપરાંત એક માલિકીની ગાયને ઇજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા વનવિભાગના વેટરનરી ડો.વામજા, ચાંદુભાઇ સહિતનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને ગાયને સારવાર આપી હતી. આ ઉપરાંત વનવિભાગે તપાસ હાથ ધરતા અહી બે સાવજોના સગડ મળ્યા હતા. સાવજો છેક પાદર સુધી આવી ચડતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.

રાયડીમા બે પશુઓનુ મારણ
ખાંભા તાબાના રાયડી ગામની સીમમા ગતરાત્રીના ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી પણ સાવજોએ એક ગાય અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. બાદમા સાવજોએ જંગલ તરફ વાટ પકડી હતી. સાવજો છેક ગામની સીમમા આવી ચડતા લોકોમા ભય ફેલાયો હતો.

No comments: