Saturday, December 31, 2016

પ્રકૃતિની રક્ષાનાં સંકલ્પ સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ કરાયો

DivyaBhaskar News Network | Dec 28, 2016, 04:05 AM IST
જૂનાગઢની સંસ્થા દ્વારા ચિરોડા કન્યાશાળામાં દલિત ઉદ્ધાર દિવસની કરાઇ ઉજવણી

જૂનાગઢઆર્ય સમાજ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી કરી હતી. તેમજ મેંદરડાનાં ચિરોડા કન્યાશાળામાં દલીત ઉદ્ધાર દિવસની ઉજવણી કરાઇ હતી.

જૂનાગઢમાં આર્ય સમાજે સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી કરી હતી. મેંદરડાનાં ચિરોડા કન્યાશાળામાં દલીત ઉદ્ધાર દિવસ તરીકે ઉજવણી કરી હતી. પ્રકૃતિને બચાવવાનાં સંકલ્પ સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યજ્ઞ બાદ 11 વિદ્યાર્થીઓએ સ્વામી શ્રદ્ધાનંદ વિશે ટૂંકું વકત્વય રજૂ કર્યુ હતું. દરેક વિદ્યાર્થીને આર્ય સમાજ દ્વારા વૈદિક સાહિત્ય, પેન, પોસ્ટર, નામ સ્લીપ, પ્રમાણપત્ર વગેરેથી પ્રોત્સાહિત કરાયા હતા. સ્વામી દ્વારા સામાજિક સુધારણાનાં કાર્યક્રમો જેવા કે, દલીત ઉદ્ધાર, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી અભિયાન, વેદ પ્રચાર અને નારી શિક્ષા જેવા વિષયોમાં યોગદાન હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે પ્રવીણાબેન, દીપક આર્ય વગેરેેએ આર્યવીરદળની પ્રવૃતિ વિશે વિચારો રજૂ કર્યા હતા.

No comments: