Sunday, April 30, 2017

અમરેલીમાં પક્ષીનાં પાણી માટે કુંડાની સેવા

DivyaBhaskar News Network | Apr 19, 2017, 03:35 AM IST

  • અમરેલીમાં પક્ષીનાં પાણી માટે કુંડાની સેવા,  amreli news in gujarati
પક્ષી પ્રેમી શહેરમાં છત-વૃક્ષ સહિતના સ્થળોએ કુંડા ભરી તરસ છીપાવે છે

અમરેલીનાવિવિધ વિસ્તારોમાં પક્ષીઓની તરસ છુપાવવા પક્ષી પ્રેમીઓએ દયા દાખવીને ઠેક ઠેકાણે પાણીના કુંડા બાંધીને નિરાધાર પક્ષીઓની તરસ છુપાવી છે.

અમરેલી જ્યા જીવરાજ મહેતા, મુળદાસ બાપુ જેવા અનેક મહાપુરુષો થઇ ગયા છે. ધરતી પર હજી પણ દયાવાન અને નિષ્ઠાવાન લોકો છે. ખાસ કરીને અમરેલીની જનતાએ એક ઉત્તમ કાર્ય કર્યુ છે. અહીના રહીશોએ અમરેલીના જુદા જુદા વિસ્તારોમાં પક્ષીઓની તરસ છુપાવવા પાણીના કુંડા બાંધીને તેમા પાણી ભરીને પક્ષીઓ માટે આશિર્વાદ રૂપ બન્યા છે. કાળજાળ તડકામાં લોકોનું જીવવુ મુશ્કેલી ભર્યુ બની ગયુ છે. ત્યારે આવી સેવા દાખવીને અમરેલીની જનતાએ એક ઉતમ કાર્યુ છે. જો કે અહીના રહીશોમાં પહેલેથીજ નિખાલસતા જોવા મળે છે. આપ સૌ કોઇ જાણો છો ઘણા કીસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અહી ઘણી જગ્યાએ લોકોને પીવા માટે પાણીના પરબ તો બંધાયાજ છે. કાર્યની સાથે પક્ષીઓ તડકામાં દુર દુર સુધી પાણીની શોધમાં ભટકી જાય છે. અને તડકામાં તે મરી પણ જાય છે. આવા કોઇ બનાવો બને એટલા માટે પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધીને એક સમાજમાં સારો મેસેજ જાય હેતુથી કાર્ય કરવામાં આવ્યુ છે.

પાણીના કુંડા પક્ષીઓ માટે આશિર્વાદ રૂપ બન્યા. તસ્વીર:જયેશ લીંબાણી

No comments: