Sunday, April 30, 2017

વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખી લીલીયા પંથકમાં ખુલ્લા કુવા બંધાશે

DivyaBhaskar News Network | Apr 30, 2017, 02:40 AM IST
જંગલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ કુલ 40 જેટલા ખુલ્લા કુવાઓ છે

રેવન્યુવિસ્તારમા પણ અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરતા હોય અનેક વખત ખુલ્લા કુવામા પ્રાણીઓ પડી જવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે લીલીયા પંથકમા વનવિભાગ દ્વારા ખુલ્લા કુવાઓને બાંધવાની કામગીરી શરૂ કરવામા આવી છે.

લીલીયા તાલુકાના આંબા અને કણકોટ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અહી જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા કુવાઓ બાંધવામાં આવ્યા છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વન્ય પ્રાણીઓની સુરક્ષા અને કોઇ ભવિષ્યમાં અનિચ્છનિય બનાવ બને એટલા માટે જાળવણી અને રક્ષા માટે આવી કામગીરી કરાતી હોય છે. અહી શેત્રુજી નદિનાં કાઠે પણ કુવાઓ બાંધવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત શિકારની શોધમા કે અન્ય રીતે પ્રાણીઓ ખુલ્લા કુવામા પડી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓ નિવારવા માટે ખુલ્લા કુવાઓને બાંધવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે

લીલીયા તાલુકાના આંબા અને કણકોટ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અહી જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા કુવાઓ બાંધવામાં આવ્યા છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર વિસ્તારમાં સાવજો અને દીપડાઓ શિકારની શોધમાં ફરતા હોય વાડી વિસ્તારમાં ઘુસી આવે છે અને શિકારને પકડવા જતા કુવામાં ખાબકે છે અને મોતને ભેટે છે જેથી આગામી દિવસોમાં આવી અનિચ્છનીય ઘટનાઓ બને અને વન્યપ્રાણીઓનાં આકસ્મિક મોત થાય માટે દરેક ખુલ્લા કુવાની ફરતે પાળ બાંધી ઢાંકવામાં આવશે.

કુવામાં પડતા સિંહ-દીપડાનાં મોત થાય છે

No comments: