Thursday, May 31, 2018

જૂનાગઢનાં ઉપરકોટમાં સફાઇ કરી 1 ટ્રેકટર કચરાનો નિકાલ કરતી સેવાભાવી સંસ્થા

DivyaBhaskar News Network | Last Modified - May 01, 2018, 04:45 AM IST
દર રવિવારે ગૃપના સભ્યો કરે છે ઐતિહાસિક સ્થળોની સફાઇ

જૂનાગઢનાં ઉપરકોટમાં સફાઇ કરી 1 ટ્રેકટર કચરાનો નિકાલ કરતી સેવાભાવી સંસ્થા
જૂનાગઢનાં ઉપરકોટમાં સફાઇ કરી 1 ટ્રેકટર કચરાનો નિકાલ કરતી સેવાભાવી સંસ્થા
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં છેલ્લા ત્રણેક મહિનાથી દર રવિવારે સફાઇ અભિયાન યોજાઇ રહ્યું છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા જનમત ગૃપ દ્વારા આ સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. આ સિલસિલો જાળવી રાખી આ રવિવારે પણ સફાઇ કાર્ય કરવામાં આવ્યું હતું.

ઉપકરોટના રાણકદેવી મહેલના આગળના ભાગમાં સફાઇ કામગીરી કરી એક ટ્રેકટર જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જનમત ગૃપના આ અભિયાનને હવે સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને સફાઇ કામગીરીમાં અન્ય લોકો પણ સ્વેચ્છાએ જોડાઇને જૂનાગઢ પ્રત્યેનું પોતાનું ઋણ ચુકવી રહ્યા છે. કોઇ કરે કે ન કરે આ આપણું શહેર છે તેને સ્વચ્છ રાખવું એ આપણી નૈતિક ફરજ છે બસ આવા ઉદ્દેશ સાથે આ ગૃપ કામ કરી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044503-1595821-NOR.html

No comments: