Thursday, May 31, 2018

ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરાઇ, 14 સભ્યનો સમાવેશ

DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 03:45 AM IST
ગુજરાત સરકારે ગિરનારને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યુ છે. આ યાત્રાધામનો સર્વાંગી વિકાસ થઇ શકે, યાત્રી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય, ગિરનાર રોપ-વેઅને પગથિયાનાં રીનોવેશન વગેરેની કામગીરીને લગતા મહત્વનાં નિર્ણયો અને અમલીકરણ ત્વરીત કરી શકાય તે માટે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરખાસ્ત કરાઇ હતી,જેના પગલે સરકારે શુક્રવારે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરી છે,મંડળમાં 14 સભ્યનો સમાવેશે કરવામાં આવ્યો છે. મંડળનાં પ્રમુખ યાત્રાધામનાં મંત્રી રહેશે. આ ઉપરાંત મહામંડલેશ્વર ભારતીબાપુ, શેરનાથબાપુ, કલેકટર, કમિશ્નરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ સભ્ય યોગેન્દ્રસિંહ પઢિયારે કહ્યુ હતું કે સમિતિમાં વન વિભાગ, પ્રવાસન, પુરાતત્વ વિભાગનાં અધિકારી હોય વિકાસ ઝડપથી થશે.

નામ હોદ્દો

મંત્રી(યાત્રાધામ) પ્રમુખ

રાજ્યકક્ષાનાં મંત્રી(યાત્રાધામ) સભ્ય

અધિક મુખ્ય સચિવ(વન) સભ્ય

અગ્ર સચિવ(પ્રવાસન) સભ્ય

મહેન્દ્રભાઇ મશરૂ બીન સરકારી સભ્ય

પ્રદિપ ખીમાણી બીન સરકારી સભ્ય

શૈલેષ દવે બીન સરકારી સભ્ય

ભારતીબાપુ સભ્ય(સંત)

શેરનાથબાપુ સભ્ય(સંત)

કમિશ્નર(પ્રવાસન) સભ્ય

નિયામક(પુરાત્તત્વ) સભ્ય

કલેકટર(જૂનાગઢ) સભ્ય

કમિશ્નર(જૂનાગઢ) સભ્ય

સચિવ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સભ્ય-સચિવ
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034502-1803734-NOR.html

No comments: